fbpx
ભાવનગર

શનિવારે પાલીતાણામાં નગરપાલિકા કચેરી ખાતે વોર્ડ નં. ૧,૨,૩,૪,૫નો ‘સેવા સેતુ’નો કાર્યક્રમ યોજાશે

રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભો નાગરિકોને એક જ સ્થળે  સરળતાથી મળી રહે તે માટે ચીફ ઓફિસરશ્રી વર્ગ – ૧, પ્રાદેશિક કમિશ્નરશ્રીની કચેરી, નગરપાલિકા ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને તા.૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૯.૦૦ કલાક થી સાંજનાં ૫.૦૦ કલાક દરમ્યાન પાલિતાણા નગરપાલિકા કચેરી મહર્ષિ પરશુરામ માર્ગ, ટાઉન હોલ ખાતે પાલિતાણા નગરપાલિકાના વોર્ડ નં. ૧,૨,૩,૪,૫નો ‘સેવા સેતુ’નો કાર્યકમ યોજાશે.

જેમાં આવક,જાતિ,નોન કિમીલેયર, ડોમીસાઇલ સર્ટી,સીનીયર સીટીઝન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતા પ્રશ્નો, માં અમૃતમ કાર્ડ યોજના,આધાર કાર્ડ કઢાવવા, માં વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી,જમીન અંગે નવી નોંધ દાખલ  કરવી,,વયવંદના, અપંગ વૃધ્ધ – નિરાધાર સહાય હેઠળ લાભ લેવાની અરજી તથા પાલિતાણા નગરપાલિકાની સેવાઓ જેમ કે પ્રોપર્ટી ટેકસ, ગુમાસ્તધારા, જન્મ મરણ દાખલા, ટાઉન પ્લાનીગ પ્લાનની નકલ, વ્યવસાય વેરા વગેરે તથા રાજય સરકારશ્રીનાં કૃષિ, પોષણ યોજના, પશુપાલન, સમાજ કલ્યાણ અને આદિજાતી વિભાગની યોજના હેઠળનાં વ્યકિત લક્ષી લાભો મેળવી શકશે.

હાલમાં સરકારશ્રી દ્વારા વ્યવહારો ડીઝીટલ પેમેન્ટ દ્વારા વધુમાં વધુ થાય અને શ્રમજીવીઓનાં બેંકમાં ખાતા ખોલવા તેમજ ડીઝીટલ નાણાકીય વ્યવહારો કેવી રીતે સરળતાથી અને સુરક્ષીત રીતે થઇ શકે વગેરેને લગતી તમામ અરજીઓ ૨૧/૦૯/૨૦૨૪ના રોજ સવારના ૯.૦૦ કલાક થી બપોરનાં ૨.૦૦ કલાક સુધી રજૂ કરવાની રહેશે અને આવી અરજીઓને લગત વિભાગોના સંબધિત અધિકારીશ્રીઓ ધ્વારા સ્થળ પર નિકાલ કરવામાં આવશે. જેથી પાલિતાણા શહેર નાં વોર્ડ નં. ૧,૨,૩,૪,૫નાં નાગરિકોએ નિયત સમયે ઉપસ્થિત રહેવા પાલિતાણા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/