હરિદ્વારમાં શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહનો પ્રારંભ
રાજ ગોહેલ પરિવાર દ્વારા તીર્થક્ષેત્રમાં ભાવભેર આયોજનકુંઢેલી, તા.21હરિદ્વારમાં કથાકાર અને લોકસંત પૂ. રામકૃષ્ણ શાસ્ત્રીજીનાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શ્રદ્ધાભેર શુભારંભ થયો છે. તીર્થક્ષેત્ર હરિદ્વાર ખાતે સંગીતમય કૃષ્ણગાથાના શ્રવણ માટે ભાવનગર સહિત સુરત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત સહિતના શહેરોમાંથી શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા છેતીર્થક્ષેત્ર હરિદ્વારમાં રાજ ગોહેલ પરિવાર દ્વારા થયેલ આયોજન મુજબ કથાકાર શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી (કુંઢેલી વાળા)નાં વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આગામી સોમવારના રોજ પૂર્ણાહુતિ થશે.શ્રી વૃજલાલ દયાળભાઈ ગોહેલ તથા પરિવારનાં સંકલન સાથે ગંગા કિનારે હરિદ્વારમાં શ્રી લોકનાથ ધર્મશાળામાં સર્વ પિતૃ મોક્ષાર્થે આ ભાગવત સપ્તાહ આયોજન થયેલ છે.
Recent Comments