કરણ મહેરાએ નિશા રાવલ પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ, કહ્યું- 11 મહિનાથી મારા ઘરમાં રહે છે એક વ્યક્તિ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/05/featured_1653225627.jpg)
ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નૈતિક ની ભૂમિકા ભજવનાર કરણ મહેરા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કરણે તેની પત્ની નિશા રાવલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ગત વર્ષથી બંને પોતાના લગ્નના કારણે ચર્ચામાં છે. દરમિયાન હવે કરણે નિશા પર ગંભીર આરોપ લગાવ્યા છે.ગત વર્ષે નિશા રાવલે કરણ મહેરા પર ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન કરણને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ કરણ આ બાબતે ચૂપ રહ્યો. તે તેના પર લાગેલા આરોપોને ખોટા સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે કરણ મહેરાએ પોતાનું મૌન તોડ્યું છે. આ વખતે કરણે નિશા પર ગંભીર આરોપ લગાવ્યા છે.
ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે કરણ મહેરાએ નિશા રાવલ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કરણ મહેરાએ કહ્યું, ‘બધું સાંભળ્યા પછી મેં તેને ઘરમાં આવવા દીધો. અમે નવેસરથી શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો. હવે ખબર પડી કે મારા ગયા પછી આ ઘરમાં 11 મહિનાથી એક પુરુષ રહે છે. તે તેની પત્ની અને બાળકોને છોડીને મારા ઘરમાં પ્રવેશ્યો છે. બધા જાણે છે અને હવે હું મારી લડાઈ લડીશ.’ કરણ મહેરાએ આગળ કહ્યું, ‘હું કોઈપણ સંજોગોમાં તેની બેવફાઈ સાબિત કરીશ. તેઓએ મારા પુત્રને મારી પાસેથી છીનવી લીધો. મારી 20 વર્ષની કારકિર્દી પર કલન્ક લગાવ્યો છે . હવે હું ચૂપ નહિ રહીશ. હું હવે મારું બધું પાછું લઈશ. હું છેલ્લા એક વર્ષમાં ભયંકર પીડામાંથી પસાર થયો છું, હવે નહીં.
Recent Comments