fbpx
બોલિવૂડ

ફિલ્મના પ્રમોશન માટે અક્ષયકુમાર સોમનાથ દાદાના શરણે: ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મના પ્રમોશન માટે અક્ષયકુમાર અને માનુષી છિલ્લરે પહોંચ્યા સોમનાથ

ભારતીય ચલચીત્ર જગતના સુપર ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર આજે બપોરે પોતાની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન માટે તથા ભગવાન સોમનાથ દાદાના દર્શન-પૂજન ધજારોહણ કરી આર્શીવાદ મેળવવા આવ્યા હતા. ૩ જુને ભારતભરના થીયેટરમાં સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની પ્રદશિત થવા જઈ રહી છે તે માટે તેઓ મહાદેવને શીશ નમાવવા આવ્યા હતા. અક્ષય કુમારે સોમનાથ મહાદેવનાં આશિર્વાદ લઈ અને પૂજા અર્ચના કરી હતી. તેઓ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ આવી પહોંચ્યા હતા જ્યાં હેલિપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષય કુમાર અને આ ફિલ્મમાં તેમની સાથેની અભિનેત્રી માનુષી છિલ્લરે પણ સાથે ઉપસ્થિત રહિ હતી. અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ 3 જૂનના રોજ હિંદી, તમિળ, તેલુગુમાં રિલીઝ થશે. ફિલ્મના અક્ષટ કુમાર પ્રમોશન માટે વારાણસી જઇને ગંગામાં ડૂબકી પણ લગાવી હતી. ત્યારે હવે અક્ષય કુમાર ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવવા સોમનાથ આવ્યો છે. અક્ષય કુમારે ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનો રોલ ભજવ્યો છે. માનુષી ફિલ્મમાં સંયોગિતના રોલમાં છે. આ ઉપરાંત ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વર, આશુતોષ રાણા, સંજય દત્ત, માનવ વિજ લીડ રોલમાં છે. મહત્વનું છે કે આ ફિલ્મ 3 જૂનના રોજ રિલીઝ થઈ રહિ છે. શ્રી રાજપૂત કરણી સેનાના વકીલ રાધવેન્દ્ર મેહરોત્રા દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઇએલમાં ફિલ્મનું નામ બદલવાની વાત કરવામાં આવી હતી. ઘણી મીટિંગો અને નોટિસો પછી યશ રાજ ફિલાના નિર્માતાઓએ બાળકોને ધ્યાનમાં રાખીને અને રાજપૂત સમુદાયની માગને ધ્યાનમાં રાખીને 27 મેના રોજ ફિલ્મ ‘પૃથ્વીરાજનું નામ બદલીને ‘સમ્રાટ પૃથ્વીરાજ કરી દીધું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/