fbpx
બોલિવૂડ

પત્ની સાથેના વિવાદમાં મૌન તોડી નવાઝુદ્દીનએ કહ્યું કે,”દર મહિને ૧૦ લાખ આપું છું તોયે…

એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેનાથી અલગ રહેતી પત્ની આલિયા સિદ્દીકીની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદો જાેવા મળી રહ્યા છે. આલિયા છેલ્લા કેટલાક દિવસથી સતત સોશિયલ મીડિાય પર વીડિયો શેર કરીને જણાવી રહી છે કે, તેની અને તેના બાળકો સાથે નવાઝ અને તેનો પરિવાર કેટલો અમાનવીય વ્યવહાર કરી રહ્યો છે. આલિયાએ નવાઝ પર કેટલાય આરોપ લગાવ્યા છે. જેના પર એક્ટર હવે મૌન તોડ્યુ છે. નવાઝુદ્દીને સોશિયલ મીડિયા દ્વારા આ સમગ્ર મામલામાં પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નવાઝે સ્પષ્ટતા કરી છે કે, તે વર્ષોથી પત્નીને દર મહિને લાખો રૂપિયા આપતો આવ્યો છે. સાથે જ તે પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે. નવાઝે કહ્યું કે, આ સમગ્ર મામલામાં તેને એક ખરાબ માણસ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.

નવાઝે પોતાના નિવેદનમાં કહ્યું કે, મારા મૌનના કારણે સમગ્ર દુનિયામાં મને ફરી એક વાર ખરાબ માણસ તરીકે ચિતરવામાં આવી રહ્યો છે. પણ મારા મૌનનું કારણ બસ એ છે કે, આ આખો તમાશો ક્યાંકને ક્યાંક મારા બાળકો પણ જાેશે. સોશિયલ મીડિયા પર, પ્રેસ અને અમુક લોકો મારા ચરિત્ર હનનની મજા લૂંટી રહ્યા છે. ત્યારે આવા સમયે અમુક મહત્વની વાતો છે, જે હું આપને બતાવવા માગું છું. નવાઝે પોતાના નિવેદનમાં ત્રણ પાનાનો જવાબ લખ્યો છે. તેણે લખ્યું છે કે, સૌથી પહેલી વાત હું અને આલિયા કેટલાય વર્ષોથી સાથે રહેતા નથી.

અમારા તલાક થઈ ચુક્યા છે, પણ અમારી વચ્ચે સમજણ ફક્ત બાળકોને લઈને હતી. તો વળી બીજા પોઈન્ટમાં એક્ટર કહે છે કે, શું કોઈ જાણ છે કે, આખરે છેલ્લા ૪૫ દિવસથી મારા બાળકો અહીં શું કરી રહ્યા છે અને પોતાની સ્કૂલે કેમ નથી જતાં. જ્યારે સ્કૂલ તરફથી તેની ગેરહાજરીના દરરોજ લેટર મને મળી રહ્યા છે. મારા બાળકોને ૪૫ દિવસથી બંધક બનાવી રાખ્યા છે અને તે ૪૫ દિવસથી દુબઈમાં પોતાની સ્કૂલે જઈ શકતા નથી. એક્ટર આગળ લખે છે કે, તેણે મારા બાળકોને ચાર મહિના સુધી એકલા છોડી મુક્યા હતા અને હવે પૈસા માગવા માટે તેમને અહીં બોલાવ્યા છે. તેને છેલ્લા ૨ વર્ષથી દર મહિને ૧૦ લાખ રૂપિયા આપી રહ્યો છું અને મારા બાળકો સાથે દુબઈ જતા પહેલા તેને દર મહિને લગભગ ૫થી ૭ લાખ રૂપિયા આપતો હતો.

આ પૈસામાંથી મારા બાળકોની ફી, સ્કૂલ ફી, મેડિકલ ખર્ચ અથવા બાકીના ખર્ચ તો જાેડતો જ નથી. મેં તેની ત્રણ ફિલ્મ ફાઈનાન્સ કરી, જેમાં મારા કરોડો રૂપિયા લાગ્યા છે. આ બધું એટલા માટે જેથી તે પોતાનું કંઈક કરી શકે અને પોતાની જાતને સેટલ કરી શકે. કારણ કે તે મારા બાળકોની મા છે. તેને મેં મારા બાળકો માટે મોંઘી કાર આપી, પણ પોતાના ખર્ચા માટે થઈને તેણે આ કાર વેચી મારી. મેં બાળકો માટે વર્સોવામાં એક મોંઘુ ઘર પણ ખરીદ્યું, જે આલિયાના જ નામ પર છે, કારણ કે બાળકો નાના છે. દુબઈમાં પણ બાળકો માટે ઘર ખરીદ્યું, જેથી તે આરામથી સારી રીતે રહી શકે.

તે ખાલી પૈસા માગવા માટે થઈને મારી અને મારા પરિવાર પર આટલા કેસ કરી રહી છે. અને આ તેની આદત છે. આ અગાઉ પણ તે કેસ પાછા ખેંચી ચુકી છે, જ્યારે તેને મોં માગ્યા રૂપિયા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, આલિયાએ હાલમાં જ એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે, તેને અને તેના બાળકોને અડધી રતે નવાઝે બંગલામાંથી કાઢી મુક્યા હતા અને તેની પાસે હવે ફક્ત ૮૧ રૂપિયા બચ્યા છે. ત્યારે આવા સમયે તે પોતાના બાળકોને લઈને ક્યાં જાય. આ વીડિયોમાં નવાઝની દીકરી પોક મુકીને રડતી પણ દેખાય રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/