fbpx
બોલિવૂડ

ફિલ્મ આદિપુરુષ પર ભડક્યા અરુણ ગોવિલ

‘આદિપુરુષ’ની જાહેરાત કરવામાં આવી ત્યારે આ ફિલ્મ વિવાદોમાં રહી છે, ક્યારેક ફહ્લઠને લઈને તો ક્યારેક ફિલ્મની સ્ટાર કાસ્ટના લુકને લઈને. બાદમાં મેકર્સે તેને થોડા મહિના માટે મુલતવી રાખ્યું અને પછી લોકોને લાગ્યું કે, તેઓ તેમાં થોડો ફેરફાર કરશે, પરંતુ રિલીઝ પછી ભાગ્યે જ કોઈને તેમાં કોઈ ફેરફાર જાેવા મળશે. કારણ કે આદિપુરુષની સ્ટાર કાસ્ટના ફહ્લઠ અને દેખાવને પહેલાથી જ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા, તેમ છતાં નિર્માતાઓએ સર્જનાત્મકતાના નામે પોતાનું કામ કર્યું અને રામાયણ જેવા મહાકાવ્યને ખોટી રીતે રજૂ કર્યું. આવી સ્થિતિમાં દેશભરના સનાતન લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે, જેઓ શ્રી રામ અને હનુમાનજી પાસેથી પ્રેરણા લે છે. ૧૬ જૂને ફિલ્મ સિનેમાઘરોમાં આવી કે તરત જ તેના પર રિવ્યૂનો વરસાદ થઈ રહ્યો છે. હાલમાં જ રામાનંદ સાગરની રામાયણમાં શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલે પણ આ અંગે નિવેદન આપ્યું છે. રાધે શ્યામ બાદ હવે પ્રભાસની આદિપુરુષને દર્શકોએ રિજેક્ટ કરી દીધી છે. ફિલ્મમાં માત્ર હનુમાનજીના ડાયલોગ્સ જ નહીં પરંતુ તેમના લુકને પણ જાેઈને લોકો કહે છે કે, તેમનું ઈસ્લામીકરણ કરવામાં આવ્યું છે. દેશના ઘણા લોકોએ નિર્માતાઓને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ઠપકો આપ્યો હતો. હવે રામાનંદ સાગરની રામાયણમાં રામનું પાત્ર ભજવતા અરુણ ગોવિલે આ ફિલ્મ વિશે પોતાના મંતવ્યો શેર કર્યા છે. હાલમાં જ એક ચેનલ સાથેની વાતચીતમાં અરુણ ગોવિલે કહ્યું હતું કે, રામાયણ અમારા માટે આસ્થાનો વિષય છે અને તેના સ્વભાવ સાથે છેડછાડ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.

ફિલ્મની સ્પેશિયલ ઈફેક્ટ્‌સ એક અલગ પાસું છે, તે પાત્રોને યોગ્ય રીતે રજૂ કરવા વિશે છે, જેને તમામ ગંભીરતા સાથે ધ્યાનમાં લેવું જાેઈએ. અરુણ ગોવિલે કહ્યું, ‘હું રામાયણમાં આવી ભાષાનું સમર્થન કરતો નથી. મને સમજાતું નથી કે મેકર્સે આ ફિલ્મ બનાવવા વિશે શું વિચાર્યું છે. જાે નિર્માતાઓએ આ ફિલ્મ બાળકો માટે બનાવી છે, તો તેમને પૂછો કે તેઓને તે ગમ્યું?’ ગોવિલે આગળ પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મને ‘હોલીવુડ કાર્ટૂન’ ગણાવી અને એપિક બદલવા માટે નિર્માતાઓને પ્રશ્ન કર્યો. તેણે કહ્યું, ‘આટલા વર્ષોથી આપણે બધા જાણીએ છીએ અને પ્રેમ કરીએ છીએ તે ચિત્રણમાં શું ખોટું હતું? વસ્તુઓ બદલવાની શું જરૂર હતી? કદાચ ટીમને ભગવાન રામ અને સીતામાં યોગ્ય વિશ્વાસ નથી અને તેથી જ તેમણે આ ફેરફારો કર્યા છે. આદિપુરુષની ટીમે લોકો દ્વારા ઉઠાવવામાં આવતા સતત પ્રશ્નોના કારણે ફિલ્મના ડાયલોગ્સમાં ‘ફેરફાર’ કરવાનો ર્નિણય લીધો છે, કારણ કે હનુમાનના ડાયલોગ્સ વધુ પડતા બોલવાને કારણે પ્રેક્ષકોને ગુસ્સે કરે છે. ્‌જીીિૈીજ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નિર્માતાઓ વિવાદાસ્પદ સંવાદો પર ફરીથી વિચાર કરી રહ્યા છે અને તે આગામી થોડા દિવસોમાં થિયેટરોમાં આવશે. આ ર્નિણય એ વાતનો પુરાવો છે કે બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન હોવા છતાં, ટીમ પ્રતિબદ્ધ છે અને તેમના પ્રેક્ષકોની ભાવનાઓ અને સદ્ભાવનાથી આગળ કશું રાખતી નથી.’

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/