fbpx
બોલિવૂડ

રામ મંદિરના ઉદ્‌ઘાટનમાં મોટા રાજનેતાઓ ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ પણ ભાગ લેશે

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના ઉદ્‌ઘાટનની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. દરેક લોકો ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ની રાહ જાેઈ રહ્યા છે જ્યારે તેમને પ્રથમ વખત ભવ્ય રામ મંદિર જાેવાનો મોકો મળશે. આ દિવસે રામ મંદિરનું મોટા પાયે ઉદ્‌ઘાટન થશે. આ ખાસ દિવસ માટે ઘણી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સુરક્ષા અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. રામ મંદિરના ઉદ્‌ઘાટનમાં મોટા રાજનેતાઓ ઉપરાંત બોલિવૂડની હસ્તીઓ પણ ભાગ લેશે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ માટે બોલિવૂડ સ્ટાર્સને ખાસ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી અને સાઉથ સિનેમાના ઘણા મોટા સ્ટાર્સ આ ખાસ દિવસનો ભાગ હશે. જે પ્રથમ યાદી બહાર આવી છે તેમાં માત્ર ૫ બોલિવૂડ સ્ટાર્સના નામ સામેલ છે. જાેકે, સાઉથ અને બોલિવૂડની કુલ ૧૮ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

માનવામાં આવે છે કે આ યાદીમાં કંગના રનૌતનું નામ સામેલ નથી.. રિપોર્ટ અનુસાર આ યાદીમાં સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું નામ સામેલ છે. રામ મંદિરના ઉદ્‌ઘાટન સમારોહમાં સુપરસ્ટાર્સ હાજરી આપી શકે છે. રામ મંદિરના ઉદ્‌ઘાટન સમારોહ માટે માધુરી દીક્ષિતની પણ પસંદગી કરવામાં આવી છે. ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્‌ઘાટન સમારોહમાં હાજરી આપનારા સન્માનિત મહેમાનોમાં બોલિવૂડ મેગાસ્ટાર અક્ષય કુમારનું નામ પણ સામેલ છે.

‘પદ્માવત’ અને ‘હમ દિલ દે ચૂકે સનમ’ જેવી ફિલ્મોના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીને પણ સરકાર તરફથી રામ મંદિરના ઉદ્‌ઘાટનના શુભ પ્રસંગે હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ડિંકી’ના દિગ્દર્શક રાજકુમાર હિરાનીને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રોહિત શેટ્ટી ઉપરાંત તમિલ સુપરસ્ટાર રજનીકાંતને પણ રામ મંદિરના ઉદ્‌ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/