fbpx
બોલિવૂડ

મરાઠા અનામત મુદ્દે મનોજ જરાંગે પાટીલનું મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ૨૪ ડિસેમ્બર સુધી આરક્ષણ લાગુ કરે, નહીં તો આંદોલન ઉગ્ર થશે : મનોજ જરાંગે પાટીલ

મરાઠા અનામતને લઈને મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે શિંદે સરકારને ૨૪ ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમને ફરી એક વખત ચેતવણી આપી છે કે ૨૪ ડિસેમ્બર સુધી આરક્ષણ લાગુ કરે, નહીં તો આંદોલન ઉગ્ર થશે. તેમને કહ્યું કે કુનબી અભિલેખમાં ૧૯૬૭ પહેલાના પુરાવા મળ્યા છે, તેમના લોહીના સંબંધીઓ અને મિત્રોને લાભ મળવો જાેઈએ. આ પહેલા ૨૩ ડિસેમ્બરે બીડમાં જરાંગે પાટીલની ચેતવણી સભા આયોજિત કરવામાં આવી છે.

સભા સોલાપુર રોડ પર પાટિલ મેદાનમાં થશે. આ સભાથી જરાંગે પાટીલની ચેતવણી વાસ્તવમાં શું હશે? તે સરકારને જાેવુ મહત્વપૂર્ણ હશે. સભા આવતીકાલે બપોરે ૨ વાગ્યા શરૂ થશે.. તેમને કહ્યું કે ઉપવાસ ખત્મ થયા પહેલા સરકારના પ્રતિનિધિ મામલાને ઉકેલવા આવ્યા હતા. તે સમય સુધી કરવામાં આવેલા વિષયોના કાગળ તેમની પાસે છે પણ પ્રતિનિધિમંડળ જવાબ નહીં આપી શકે. ૧૯૬૭ પહેલાના રેકોર્ડ મળ્યા છે. તેમને કહ્યું કે જાે આ બે દિવસમાં ર્નિણય ના થયો તો અમે આગળ ર્નિણય લઈશું. મરાઠા અનામત જ એક માત્ર એવું આરક્ષણ છે, જે કાયદામાં ફિટ થશે.

એક વખત નોટિસ આપવાના ચક્કરમાં ના પડો. અમે જાહેરાત કરી નથી પણ તેમને લાગે છે કે અમારે મુંબઈ આવવુ જાેઈએ તો અમે આવીશું. અમારા આંદોલન દરમિયાન તેમને કોરોના થઈ રહ્યો છે. મનોજ જરાંગે પાટીલે કહ્યું કે સરકારે સમજવુ જાેઈએ અને કારણ વગર ઉગ્ર ના થવું જાેઈએ.. તેમને કહ્યું કે હવે અમને સરકાર તરફથી નોટિસ આપવામાં આવી રહી છે પણ અમે તમારી નોટિસથી ડરીશું નહીં. નોટિસ આપવાની બંધ કરો, નહીં તો તમારૂ આવવુ-જવુ મુશ્કેલ થઈ જશે. અમે અત્યાર સુધી એ જાહેરાત કરી નથી કે ક્યાં જવાનું છે, ત્યાં સુધી અમને નોટિસ મળી રહી છે.

એક વખત કોલ કરો, બીજી વાર પ્રયત્ન ના કરો. મનોજ જરાંગે પાટીલે સરકારને ચેતવણી આપતા કહ્યું કે અમે અમારા બાળકોના ભવિષ્ય માટે કોઈ પણ હદ સુધી જઈ શકીએ છીએ. તેમને સભાને સંબોધિત કરતા કહ્યું કે અમે જવા ઈચ્છતા નથી પણ જાે તમે જવાનો ર્નિણય કરી લેશો તો શું થશે? શું મુંબઈ અમારૂ નથી? શું અમે મુંબઈ દેખવા ઈચ્છતા નથી? મુંબઈમાં શેર બજાર જાેવા નથી ઈચ્છતા? આવો જાેઈએ કેવા છે મંત્રીઓના બંગ્લા? અભિનેતા- અભિનેત્રીઓના બંગ્લા? જાે કોઈની ધરપકડ કરવામાં આવે તો બધાએ તે પોલીસ સ્ટેશનમાં જઈને બેસવું જાેઈએ.. તેમને કહ્યું કે જાવ અને લાખોમાં બેસો. જાે સરકાર ખેતી કરવાનો ર્નિણય લે છે

તો તેને ખેતી કરવા દો. હાલ કોઈ પણ નેતા મરાઠાઓના પક્ષમાં ઉભા થવા માટે તૈયાર નથી. પહેલી વાત તો એ કે નેતા જાતિથી મોટો નથી હોતો. તમારા બાળકથી મોટુ કોઈ નથી. મારે તમારા સમર્થનની જરૂર છે. સહયોગની જરૂર છે. હું મરવાથી ડરતો નથી. સરકારે મારી સાથે દુશ્મન જેવો વ્યવહાર કર્યો. તેમને કહ્યું કે પોતાની ઉર્જાને ઓછી ના થવા દો. પછી અમે જાેઈશું કે કેવી રીતે આરક્ષણ મળતું નથી. તમને મરાઠા સમુદાયે ટ્રેનમાં બેસાડ્યા હતા. તેમને આરક્ષણ આપો નહીં તો ગુલાલ લાગશે નહીં. હું અત્યારે તેમના (ભૂજબળ) વિશે વાત કરી રહ્યો નથી. પ્રતિનિધિમંડળ મારી પાસે આવ્યું. તેમને કહ્યું કે તેમના વિશે વાત ના કરો પણ જાે તે અનામત વિશે વાત કરશે તો હું વાત કરીશ, અમે સ્પષ્ટ કરી દીધું. આ પહેલા સરકારે સમય લીધો, હવે ફરી તે સમય માગી રહ્યા છે પણ હવે અમે સમય નહીં આપીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/