fbpx
બોલિવૂડ

નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ ૨ માર્ચથી મુંબઈમાં શરૂ થશે

‘એનિમલ’ની બ્લોકબસ્ટર સફળતા બાદ હવે રણબીર કપૂર સાઈ પલ્લવી સાથે મહાકાવ્ય ‘રામાયણ’ પર કામ શરૂ કરવા જઈ રહ્યો છે આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારી કરવાના છે. આ એક હાઈ બજેટ ફિલ્મ હશે, જેના નિર્માણમાં નિર્માતા દરેક નાની-નાની બાબતો પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો તેની રાહ જાેઈ રહ્યા છે કે તે ક્યારે આવશે. જાેકે તે પહેલા આ ફિલ્મને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

રિપોર્ટ્‌સનું માનીએ તો રણબીર કપૂર ૨ માર્ચથી મુંબઈમાં ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરશે. આ પછી એપ્રિલ અને મે મહિનામાં પણ બે શિડ્યુલનું આયોજન કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે ‘કાસ્ટ અને ક્રૂને તાજેતરમાં જ જાણ કરવામાં આવી કે ૨ માર્ચ એ મોટો દિવસ છે. નીતિશ સાહેબે ફિલ્મ સિટીમાં લાંબુ શેડ્યુલ બનાવ્યું છે. તબક્કાના પ્રથમ ભાગમાં, રણબીર અને સાઈ સંવાદો સહિત મુખ્ય દ્રશ્યોનું શૂટિંગ કરશે.

અહેવાલમાં વધુ પણ જણાવામાં આવ્યું કે,‘યુદ્ધના ભાગો સહિત ભીડના મુખ્ય દ્રશ્યો એપ્રિલ અને મેમાં શૂટ કરવામાં આવશે. શહેરમાં ચોમાસું આવે તે પહેલા આ દ્રશ્યો પર શૂટિંગ કરી લેવામાં આવશેની વિચારણા ચાલી રહી છે. ડિરેક્ટર નીતિશ તિવારી અને ફહ્લઠ પાવરહાઉસ ડ્ઢદ્ગઈય્ એ તેમના આગામી મહાકાવ્ય માટે પૌરાણિક બ્રહ્માંડની રચનામાં મહિનાઓનું રોકાણ કરીને વ્યાપકપણે સહયોગ કર્યો છે. પૂર્વ-ઉત્પાદન તબક્કામાં કલાકારો સાથે દેખાવ પરીક્ષણો અને ૩ડ્ઢ મેપિંગ સત્રોનો સમાવેશ થાય છે.

નિતેશ તિવારી અને રવિ ઉદયવાર દ્વારા સહ-દિગ્દર્શિત ‘રામાયણ’ વર્ષ ૨૦૨૫ની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ ‘રામાયણ’ ની મહાકાવ્ય વાર્તાને ઓસ્કાર વિજેતા કંપની ડ્ઢદ્ગઈય્ દ્વારા બનાવવામાં આવેલ અદ્ભુત દ્રશ્યો અને પ્રભાવ સાથે દર્શાવશે. ફિલ્મમાં એક મજબૂત ભાવનાત્મક પાસું અને દર્શકો માટે એક શક્તિશાળી સંદેશ પણ હશે. નિર્માતાઓ ૨૦૨૫ના ઉત્તરાર્ધ સુધીમાં ‘રામાયણ’ રિલીઝ કરવાની યોજના ધરાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/