fbpx
બોલિવૂડ

૪ વર્ષમાં માત્ર એક જ વાર પોતાનો જન્મદિવસ ઉજવનાર જાન્વી છેડા અત્યારે શું કરી રહી છે?

સોની ટીવીનો ક્રાઈમ ડ્રામા ઝ્રૈંડ્ઢ ભારતનો સૌથી લાંબો સમય ચાલતો શો હતો. વર્ષ ૧૯૯૮માં શરૂ થયેલા આ શોએ ૨૧ વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું. શિવાજી સાટમ (છઝ્રઁ પ્રદ્યુમન), દયાનંદ શેટ્ટી (દયા), અને આદિત્ય શ્રીવાસ્તવ (અભિજીત) સાથે, ઇન્સ્પેક્ટર ‘શ્રેયા’ પણ આ શ્રેણીનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. શ્રેયાનું પાત્ર અભિનેત્રી જાન્વી છેડાએ ભજવ્યું હતું. પરંતુ ઝ્રૈંડ્ઢ પછી જાનવી મનોરંજન ઉદ્યોગમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ. આજે એટલે કે ૨૯મી ફેબ્રુઆરીએ જાનવીનો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર, ચાલો જાણીએ કે ૪ વર્ષમાં માત્ર એક જ વાર પોતાનો જન્મદિવસ ઉજવનાર આ અભિનેત્રી અત્યારે શું કરી રહી છે.

જાન્વીએ ૨૦૧૧માં ઝ્રૈંડ્ઢના શૂટિંગ દરમિયાન તેના બોયફ્રેન્ડ નિશાંત ગોપાલિયા સાથે લગ્ન કર્યા હતા. તેણે પોતાના કરિયરની શરૂઆત સિરિયલ ‘છુના હૈ આસમાન’થી કરી હતી. તેણે બાલિકા વધુમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ ખરા અર્થમાં સીઆઈડીએ જાન્વીને તે નામ અને ખ્યાતિ આપી જેના માટે તે ઘણા સમયથી રાહ જાેઈ રહી હતી. જાે કે, ઝ્રૈંડ્ઢ ના પ્રસારણ પછી, જાનવીની કારકિર્દી ફરી એક વાર અટકી ગઈ અને તે ઈન્ડસ્ટ્રીમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ.વાસ્તવમાં, ઝ્રૈંડ્ઢના અંત પછી, જાનવીએ તેના પરિવાર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.

આ દરમિયાન તેમની દીકરી નીરવીનો પણ જન્મ થયો અને પછી જાનવીનું જીવન નીરવીની આસપાસ ફરવા લાગ્યું. ૬ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ હવે ઝ્રૈંડ્ઢની ‘શ્રેયા’ ટીવી પર ‘કમબેક’ કરવા માંગે છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે હું હવે મારું પુનરાગમન કરવા માટે તૈયાર છું. આશા છે કે મને એક ઓફર મળશે જે હું કરવા માંગુ છું. મને ખબર નથી કે મને તે ક્યારે મળશે, કેવી રીતે મળશે, પરંતુ મારે ફરી એકવાર કેમેરાની સામે આવવું પડશે. હવે શું આ ઇન્ડસ્ટ્રી આ બર્થડે ગર્લને પુનરાગમન કરવાની તક આપે છે? આ જાેવાનું રસપ્રદ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/