fbpx
બોલિવૂડ

ઐશ્વર્યા શર્મા અને પતિ નીલ ભટ્ટે સોશિયલ મીડિયા યુઝર્સ પર ક્લાસ લીધો હતો

‘બિગ બોસ ૧૭’ ફેમ અભિનેત્રી ઐશ્વર્યા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થઈ છે. સામાન્ય રીતે ઐશ્વર્યા આવા ટ્રોલ્સને નજરઅંદાજ કરવાનું પસંદ કરે છે, પરંતુ હાલમાં જ એક ટ્રોલ દ્વારા ઐશ્વર્યા વિશે કેટલીક એવી વાતો લખવામાં આવી હતી, જેને અવગણવી તેના માટે અશક્ય હતી. આ જ કારણ છે કે ઐશ્વર્યાએ આ ટ્રોલરના મેસેજનો સ્ક્રીનશોટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો અને તેને પોતાની સ્ટાઈલમાં જડબાતોડ જવાબ આપ્યો. માત્ર ઐશ્વર્યા જ નહીં, તેના પતિ નીલ ભટ્ટે પણ આ સોશિયલ મીડિયા યુઝરની ક્લાસ લીધી હતી.

તાજેતરમાં જ ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટને તેમના ચાહકો દ્વારા કેટલીક ભેટ મોકલવામાં આવી હતી. આ ચાહકો માટે એક પોસ્ટ શેર કરતી વખતે ઐશ્વર્યાએ લખ્યું હતું કે હું અમારા બધા ચાહકોને વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને અમને ભેટો ન મોકલો. આ બધી બાબતો પર તમારા પૈસા ખર્ચશો નહીં, તમારો પ્રેમ અને સમર્થન અમારા માટે પૂરતું છે. ઐશ્વર્યાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતી વખતે એક યુઝરે માનવતાની તમામ હદ વટાવી દીધી હતી. તેણે લખ્યું, “ન તો આ શબ્દો તમારા છે અને ન તો આ મેસેજ મેં લખ્યો છે. આ કોઈ બીજા દ્વારા લખાયેલો સંદેશ છે જે તમે ચોરી લીધો છે. તમે ચોર છો અને તમે બધું જ ચોરી કરો છો, બીજાના શબ્દો પણ. તમે હંમેશા આવી ઈર્ષ્યાથી સળગતા રહેશો. તમે એક ગંદી અને બીભત્સ સ્ત્રી છો. અમે આશા રાખીએ છીએ કે તમે જલ્દી મૃત્યુ પામશો અને અમે તમારા અંતિમ સંસ્કાર જાેઈશું.”

આ મેસેજનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે ઐશ્વર્યાએ લખ્યું, પ્રિય જ્રજટ્ઠદ્બટ્ઠરરટ્ઠદ્બઙ્ઘઅ૩૨૫, સાચું કહું તો, હું ખરેખર નથી જાણતી કે તમે કોના વિશે વાત કરી રહ્યા છો. અમારા ચાહકો, જે અમારો પરિવાર બની ગયા છે, લગભગ દર અઠવાડિયે અમને ભેટો મોકલતા રહે છે. આ તમને ખરાબ અનુભવવા વિશે નથીપ તમે મને શાપ આપી શકો છોપ પરંતુ હું આશા રાખું છું કે તમને ખુશી મળશેપ ભગવાન તમને આશીર્વાદ આપે.

માત્ર ઐશ્વર્યા જ નહીં, નીલ ભટ્ટે પણ પોતાની પત્નીને શ્રાપ આપનાર ટ્રોલને જવાબ આપ્યો અને કહ્યું, ‘હું ઈચ્છું છું કે તમે જે પણ કરો તેમાં તમને શાંતિ મળે અને જાે તમને આવી વસ્તુઓ કરીને શાંતિ મળે તો ખરેખર. ભગવાન તમને આશીર્વાદ આપે. મારી પત્ની કે મેં કોઈનો ઉલ્લેખ કર્યો નથી. આ તમારા માટે નથી, આ સંદેશ અમારા ફેન્સ માટે છે જે અમારો પરિવાર છે. કૃપા કરીને તમારી સંભાળ રાખો અને હું આશા રાખું છું કે તમે ક્યારેય એવા કોઈને મળશો નહીં જે તમારા માટે આ વસ્તુઓ ઇચ્છે છે.”

વાસ્તવમાં નીલ ભટ્ટ અને આયેશા સિંહ સિરિયલ ‘ગમ હૈ કિસી કે પ્યાર’માં ઓનસ્ક્રીન પતિ-પત્નીની ભૂમિકા ભજવી રહ્યા હતા. અને ઐશ્વર્યા શર્મા આ સીરિયલમાં વિલન બની હતી. ઐશ્વર્યા-નીલના લગ્ન બાદ શોના ચાહકો બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. આ જ કારણ છે કે આયેશાના ફેન્સ ઘણીવાર ઐશ્વર્યા શર્મા અને નીલને ટ્રોલ કરે છે અને નીલ-ઐશ્વર્યાના ફેન્સ આયેશાને ટોણા મારતા રહે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/