હત્યાના કેસમાં કન્નડ અભિનેતા દર્શનની મૈસૂર પોલીસે ધરપકડ કરી
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/30.jpg)
એક હત્યાના કેસમાં પોલીસ કન્નડ અભિનેતા દર્શનની ધરપકડ કરી છે. અભિનેતા દર્શનની મૈસૂરમાં તેના ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેને બેંગલુરુ લઈ જવામાં આવ્યો હતો. આ કેસ તેની સામે ૯ જૂને નોંધવામાં આવ્યો હતો અને હવે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. તેની સામે આરોપ છે કે તે સતત આરોપીના સંપર્કમાં હતો. આ કેસ ચિત્રદુર્ગના રેણુકાસ્વામી નામના વ્યક્તિની હત્યા સાથે સંબંધિત છે. દર્શન એક વરિષ્ઠ અભિનેતા છે અને કન્નડ ફિલ્મ ઉદ્યોગના અગ્રણી ચહેરાઓમાંથી એક છે. તે ૪૭ વર્ષનો છે અને તેણે વર્ષ ૧૯૯૭માં ફિલ્મ મહાભારતથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
આ ઘટના બાબતે મળતી માહિતી મુજબ રેણુકાસ્વામીનો મૃતદેહ ૯ જૂનના રોજ કામક્ષીપાલ્યા પાસે એક નાળામાં પડેલો મળ્યો હતો. એવું માનવામાં આવે છે કે ૮ જૂને આ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ સમાચારથી વ્યક્તિનો પરિવાર પણ દુખી છે અને તેણે તેના પરિવારને પોલીસ સ્ટેશન પણ બોલાવ્યા છે. રેણુકાસ્વામી વિશે વાત કરીએ તો તેઓ મેડિકલ શોપમાં આસિસ્ટન્ટ હતા અને તાજેતરમાં જ તેમના લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિનું સૌથી પહેલા ચિત્રદુર્ગથી અપહરણ કરવામાં આવ્યું હતું અને શહેરના પશ્ચિમ વિસ્તારમાં લઈ જઈને તેની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ગટરમાંથી વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને શરીર પર ઈજાના અનેક નિશાન પણ મળ્યા હતા. આ પછી જ પોલીસ એવા તારણ પર આવી કે આ હત્યાનો મામલો છે. આ ઘટના ની નોંધ લેતા પોલીસ કમિશનરે કહ્યું- ‘કન્નડ અભિનેતા અને અન્ય સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ તપાસ ચાલી રહી છે, તેથી મામલાની વધુ માહિતી આપી શકાય તેમ નથી.
Recent Comments