અમિતાભ બચ્ચને ના જોઈ ફાઈનલ મેચ, જણાવ્યું કારણ
![](https://citywatchnews.com/wp-content/uploads/2024/06/15-11-840x620.jpg)
ભારતીય ક્રિકેટ ટીમે ૨૯ જૂનના રોજ આઈસીસી વર્લ્ડકપ ટ્રોફી પોતાને નામ કરી છે. ભારતની આ ઐતિહાસિક જીત પર દેશવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. બોલિવડ સ્ટાર સહિત સૌ કોઈ ભારતીય ક્રિકેટ ટીમની જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને શુભકામના પણ પાઠવી રહ્યા છે. બોલિવુડ સ્ટાર અમિતાભ બચ્ચને ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ જોઈ નથી. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું કે, ક્યાં કારણોસર તેમણે મચે જોઈ નથી. આ જીતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શુભકામના પાઠવી છે.
પોતાના બ્લોગમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે, તેમણે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ એટલા માટે ન જોઈ કારણ કે, જ્યારે પણ તે મેચ જુએ છે તો ટીમ ઈન્ડિયા હારી જાય છે. લખ્યું વર્લ્ડ ચેમ્પિયન્સ ઈન્ડિયા ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪, ઉત્સાહ ભાવના અને આશંકાઓ બધું જ પૂર્ણ થયું. ટીવી જોઈ નથી જ્યારે હું મેચ જોવ છું ત્યારે હારી જઈએ છીએ. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ટીમ ઈન્ડિયાને જીતની શુભકામના પાઠવી છે અને લખ્યું “ટીમ ઈન્ડિયાની સાથે એક જ સ્વરમાં આસું વહી રહ્યા છએ. વર્લ્ડ ચેમ્પિયન્સ ઈન્ડિયા,ભારત માતા કી જય, જય હિંદ જય હિંદ”. તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી૨૦ વર્લ્ડકપ ટ્રોફી ઘરે લઈ આવ્યા છે. ટીમ ઈન્ડિયાની જીત બાદ ખેલાડીઓના આંખોમાં આસું જોવા મળ્યા હતા. બોલિવુડ સ્ટાર પણ પોતાના અંદાજમાં ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી રહ્યા છે. કાજોલ, અજય દેવગન, આયુષ્માન ખુરાના, સની દેઓલ, અનન્યા પાંડે, બોમન ઈરાની સહિત સ્ટારે ટીમ ઈન્ડિયાને શુભકામના આપતા અસલી ચેમ્પિયન બતાવી છે.
Recent Comments