સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે શ્રી ખડસલી લોકશાળામાં ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા હેતુ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા અર્થે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.સાવરકુંડલા શહેરના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, રવિભાઈ મહેતા,
સાવરકુંડલા શહેરમાં સેવાના ધામ સમા કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨ મી પુણ્યતિથિ નિમિત્તે અલૌકિક અનુભૂતિ સભર ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.સાવરકુંડલામાં તારીખ ૪ અને ૫ મી સપ્ટેમ્બરના રોજ સદગુરુ તપસ્વી શ્રી રામપ્રતાપ સાહેબની ૪૨મી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવ અને સંત સાગરદાસની સમાધી મંદિરનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ પાવન પ્રસંગે
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ એન્ડ શ્રી એમ.આર.સંઘવી કોમર્સ સાવરકુંડલા ખાતે તારીખ ૨૫/૮/૨૦૨૩,શુક્રવારના રોજ N.S.S./N.C.C/રેડ ક્રોસ યુથ ક્લબ વિભાગ દ્વારા “સ્વચ્છતા અભિયાન” અંતર્ગત સમૂહ સફાઈનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં એન.એસ.એસ./એન.સી.સી/રેડ ક્રોસ વિભાગના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ખૂબ ઉત્સાહ અને મહેનતથી કોલેજનું બિલ્ડીંગ, મેદાન,
કાળચક્રનો માર ખાઈને તોકતે વાવાઝોડામાં સાવરકુંડલા એસ. ટી ડેપોના પ્રવેશ દ્વાર પર આવેલું નામનિર્દેશનવાળું બોર્ડ ધ્વસ્ત થયેલું હાલમાં એસ. ટી. દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલે છે. તો સાથે સાથે આ નામનિર્દેશનવાળું બોર્ડ પણ ફરી પ્રવેશદ્વાર પર લગાડવામાં આવે તો અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને શહેરીજનોને અહીં સાવરકુંડલા એસ. ટી. ડેપો આવેલો છે તેનો અહેસાસ થાય.. […]
ચંદ્રયાન સફળ ઉતરાણની ખુશી વ્યક્ત કરતા કેશવ કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી અમરેલી શાખા”ચાંદામામાનુ આવ્યુ કહેણ, રાખડીબાંધો ધરતી બહેન”. વિશ્વમા ભારતનુ ગૌરવ વધારનાર ઈસરોના સહુ વૈજ્ઞાનિકોને ધન્યવાદ આપી ચંદ્રયાનના સફળ ઉતરાણની ખુશી વ્યક્ત કરવા ફટાકડા ફોડી મીઠાઈ વહેચી, સૂત્રોચ્ચાર કરી આનંદ વ્યક્ત કર્યો. આ પ્રસંગે સંયોજકશ્રી કનુભાઈ કરકર,
શિવકુજ આશ્રમ, અધેવાડામાં ઉજવાયો તુલસીદાસ જયંતી નો દિવ્ય મહોત્સવ.”હરીને તુલસી દલ, હરને બિલ્વ દલ અને હનુમાનજીને તુલસી રચિત માનસની ચોપાઈઓ પ્રિય છે. ” – પૂ. સીતારામ બાપુ.તુલસીદાસજીની 525 મી જયંતી ની ઉજવણી અધેવાડા વિસ્તારમાં આવેલ શિવકુંજ આશ્રમે કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ સુંદરકાંડના પાઠ અને રામચરિત માનસની ચોપાઈના ગાન અને પૂજ્ય સીતારામ બાપુએ […]
દામનગર શહેર માં એસ પી શ્રી અમરેલી હિમકરસિંહ ની અધ્યક્ષતા માં લોક દરબાર વાર્ષિક ઇન્સ્પેકશન ૨૦૨૩ યોજાયું દામનગર શહેર પોલીસ પરિવાર નું લોકદરબર નું સુંદર આયોજન દામનગર પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એસ પી હિમકરસિંહ દ્વારા પોલીસ પરેડ નું નિર્દેશન કરાયુંપોલીસ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે એસ પી સાહેબ ના વરદહસ્તે ચિત્રકૂટ વાટિકા તકતી અનાવરણ એવમ વૃક્ષારોપણ કરાયું હતું […]
અમરેલી નગરપાલિકા તરફથી આ જાહેર નોટીસ આપવામાં આવે છે કે હાલ માં શ્રાવણ માસ ચાલી રહેલ હોય તહેવારો ની સીઝન હોય શહેરમાં જાહેર જનતા ની ભીડ રહેતી હોવાનું જણાય છે તમામ રસ્તાઓ ઉપર ટ્રાફિક ની સમસ્યા રહેતી હોય રસ્તાઓ માં કોઈ પણ નાગરિક સમૂહ કે સાર્વજનિક તરફથી રસ્તા ઉપર કે રસ્તાની સાઈડો માં તથા પોતાની […]
અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની રજુઆતથી આજ તા. ૨૪ ઓગસ્ટના રોજ ખેડુતોને પિયત માટે ધાતરવડી-૧ ડેમ માથી કેનાલ મારફતે પાણી છોડવામા આવ્યુ. ધાતરવડી-૧ ડેમના કમાન્ડ વિસ્તારમા આવતા ખેડુતો તરફથી ડેમ માથી ઓવરફલો થઈ વેડફાઈ જતા પાણીને કેનાલ મારફતે પિયત માટે છોડવામા આવે તેવી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજુઆત કરવામા આવેલ હતી. જેના અનુસધાને સાસદશ્રી […]
સાવરકુંડલામાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી ખાતે ૧૦૮ શ્રી વિઠ્ઠલેશરાયજી મહારાજશ્રી (પૂ. વિઠ્ઠબાવાશ્રી)નો ૧૦૬મો પ્રાગટય દિન ઉત્સવમાં અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી રાજુભાઈ શીંગાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત સાવરકુંડલાના મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, સાવરકુંડલા ટાઉન પી. આઈ. શ્રી સોની સાહેબ, તથા સમગ્ર સ્ટાફ અને નાયબ મામલતદાર એન. ડી જોશી, શ્રી રજનીભાઈ મહેતા, અને
Recent Comments