fbpx
ગુજરાત

ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા ૨૫ લાખની લાંચ લેતા મામલતદાર ઝડપાયા

ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોર, વચેટિયા પાસેથી એસીબીએ પાંચ લાખ રૂપિયા કબજે કર્યા

અમદાવાદ જિલ્લાના ધોળકામાં મામલતદાર ૨૫ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જમીનમાં નામ દાખલ કરવા અંગે મામલતદારે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. આ અંગે બાતમી મળતાં જ એસીબીએ છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો અને મામલતદારને લાંચની રકમ સ્વીકારતાં ઝડપી લીધા હતા. ગત રાત્રે એસીબીએ મામલતદારને ઝડપી લેવાની કાર્યવાહી કરી હતી. છઝ્રમ્ને મામલતદારની ઓફિસમાંથી ૨૦ લાખ રૂપિયાની રકમ મળી હતી, જ્યારે બીજા પાંચ લાખ રૂપિયા વચેટિયા પાસેથી કબજે કરવામાં આવ્યા હતા. આ કેસમાં મામલતદાર અને વચેટિયાની અટકાયત કરવામાં આવી છે.લાંચ લેતા પકડાયેલા મામલતદાર હાર્દિક ડામોર ના પિતા પૂર્વ જીઁ રહી ચૂક્યા છે, તેમજ તેમણે એસીબીમાં પણ કામ કર્યું છે. એટલું જ નહીં, તેમના ભાઈ તામિલનાડુમાં આઈજીપી કક્ષાના અધિકારી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, જમીન મોજે બદરખાની સીમમાં આવેલી જમીનમાં ક્ષેત્રફળ સુધારણા તથા ખેડૂતમાંથી બિનખેડૂક કરેલી, જે ફરીથી ખેડૂત કરવા અંગેની અરજી મામલતદાર કચેરી ધોળકા ખાતે આપવામાં આવી હતી, જેના આધારે ક્ષેત્રફળ સુધારણા અંગેની કામગીરી કરી આપવા બદલ તથા બિનખેડૂત કરેલી જમીન ફરીથી ખેડૂત તરીકે કાયમ કરવા માટે ધોળકાના મામલતદાર હાર્દિકભાઈ ડામોરે ૨૫ લાખ રૂપિયાની લાંચ માગી હતી. ત્યારે આ રકમ નહીં આપવા માગતા ફરિયાદીએ આખરે એસીબીનો સંપર્ક કરતાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું,
જેમાં મામલતદાર તથા તેમનો વચેટિયો એસીબીના છટકામાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ગુજરાત એસીબી વર્ષ ૨૦૨૦માં ૧૯૮ કેસ કરીને ૩૦૭ ભ્રષ્ટ સરકારી અને ખાનગી બાબુઓને લાંચ લેતાં રંગેહાથે પકડ્યા હતા, જેમાં વર્ગ-૧ના ૭ બાબુઓ સામેલ છે. અપ્રમાણસર મિલકતના ૩૮ કેસ કરીને રૂ.૫૦.૧૧ કરોડની બેનામી મિલકતો શોધી હતી. મહત્ત્વનું છે કે ૨૦૨૦ના વર્ષમાં એસીબીના કેસોમાં સજાનો દર ૪૦ ટકા રહ્યો હતો તેમજ એસીબીની ટ્રેપમાં પકડાયેલા દરેક સરકારી બાબુને સરેરાશ ૩૧ દિવસ સુધી જેલવાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે છઝ્રમ્એ ભૂતકાળના વર્ષો કરતાં ચાલુ વર્ષે સૌથી વધુ ધરપકડ અને અપ્રમાણસર મિલકતો શોધી કાઢી છે. ભ્રષ્ટ સરકારી બાબુઓની બેનામી મિલકતો શોધવા માટે યુનિટની રચના સમગ્ર દેશમાં સૌથી પહેલા ગુજરાત એસીબીમાં કરાઇ છે.
વર્ષ ૨૦૨૦માં એસીબી દ્વારા પકડાયેલા ૨૭૫ આરોપીને કુલ ૮૫૧૩ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું, જેમાં ૫૬ આરોપી સાથે સુરત પહેલા નંબરે, ૫૩ આરોપી સાથે વડોદરા બીજા નંબરે અને ૪૪ આરોપી સાથે અમદાવાદ-રાજકોટ ત્રીજા નંબરે રહ્યા હતા. રાજ્યમાં ભ્રષ્ટાચારને ડામવા અનેક પ્રયાસો બાદ પણ લાંચિયા અધિકારીઓનો લોભ થોભતો નથી. એસીબી દ્વારા આજે પણ ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એસીબી દ્વારા ૧૦૬૪ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે, જેમાં પણ એસીબીને સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે. જાહેર સેવકોએ વસાવેલી અપ્રમાણસરની મિલકતો અને બેનામી મિલકતો શોધી કાઢી તેમની વિરુદ્ધ વધુમાં વધુ કેસો શોધી કાઢવા માટે સમગ્ર દેશમાં સૌપ્રથમ ગુજરાત એસીબીમાં એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરના અધ્યક્ષપણા હેઠળ એક મ્ટ્ઠડ્ઢછ (બેનામી અને અપ્રમાણસર મિલકત યુનિટ)ની રચના કરી છે, જે દેશમાં સૌપ્રથમ ગુજરાત એ.સી.બી.માં શરૂઆત થયેલી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/