fbpx
ગુજરાત

૧ ફેબુ્રઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે

એકપ એક દિવસ કરતાં નવ મહિના વિતી ગયાં. સાબરમતી જેલ સહિત રાજ્યની જેલોમાં બંધ કેદીઓ નવ-નવ મહિનાથી તેમના સ્વજનને રૂબરૂ મળી શક્યાં નહોતાં. કોરોનાના કારણે કેદી-મુલાકાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે, તા. ૧ ફેબુ્રઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જાે કે, કેદીના સ્વજનનો કોરોના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ મુલાકાત શક્ય બનશે. સાથો જ સોશિયલ ડીસ્ટન્સ સહિતના નિયમો પાળવા પડશે. કોરોના ઓસરતાં આ ર્નિણય લેવાયો છે પણ સાબરમતી જેલમાં આજે વધુ બે કેદી કોરોના પોઝીટિવ આવ્યાં છે. સાબરમતી જેલમાં કુલ ૩૦૦૦ કેદીઓને સ્વજન સાથે મુલાકાતનો લાભ તબક્કાવાર મળશે. ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે આજે તા. ૧૮ના રોજ જારી કરેલા પત્રમાં જણાવ્યું છે કે,
એપ્રિલ-૨૦૨૦થી કોરોના વાયરસના સંક્રમણની મહામારીની પરિસ્થિતિમાં જેલોમાં સંક્રમણ નિયંત્રણના ભાગરૂપે કેદીઓની રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે અને રેપીડ એન્ટિજન ટેસ્ટનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. સાથો જ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આવા સંજાેગોમાં રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ તેમના નજીકના લોહીના સંબંધ ધરાવતા કુટુંબીજનો સાથે રૂબરૂ મુલાકાતની અનુકુળતા કરવી કેદીઓના હીતમાં આવશ્યક જણાઈ છે. આથી શરતો અને કાર્યપદ્ધતિને આધિન કેદીઓની તેમના સ્વજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત તા. ૧ ફેબુ્રઆરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવે છે. સાબરમતી જેલ સહિત રાજ્યની જેલોમાં કેદી મુલાકાત એપ્રિલ મહિનાથી બંધ હતી.
સામાન્ય દિવસોમાં કેદીના સ્વજનોને અઠવાડિયે ૨૦ મિનિટ મળવાની મંજુરી અપાતી હતી તેના બદલે ૧૫ દિવસે ૨૦ મિનિટ જ મુલાકાત અપાશે. હાલમાં કુલ ૩૦૦૦ કેદી છે એવા સંજાેગોમાં રોગચાળો ફેલાય નહીં તે માટેની વ્યવસૃથા ગોઠવવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઉપરાંત મુલાકાત લેવા આવનાર વ્યક્તિ પાંચને બદલે ઘટાડીને એક-બે જ કરવામાં આવશે. આવનાર વ્યક્તિના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ અપાશે.જેલમાં રહેલા કેદીઓ સ્વજનો સાથે મુલાકાત થઈ ન હોવાથી કેદીઓ અકળાઈ ગયાં છે. આઠ મહિનાથી કોર્ટ પણ બંધ હોવાથી કેદી બહાર જઈ શકતાં નથી. જરૂર પડે તો વિડિયો કોન્ફરન્સથી કેદીને ઓનલાઈન રજૂ કરવામાં આવે છે. એ જ રીતે બિમાર પડતાં કેદીઓની સિવિલમાં સારવાર પણ ખૂબ ઓછી કરી નાંખી છે. ગંભીર બિમારી સિવાય કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં નથી. આમ છેલ્લા નવ-નવ મહિનાથી જેલમાં કંટાળેલા કેદીઓ માટે આખરે સ્વજનોને મળવાની તક આગામી ૧ ફેબુ્રઆરીથી શક્ય બનશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/