સુરતમાં આર્થિક ભીંસમાં વૃદ્ધએ પત્નીને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતારી
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/05/surat-hatya.jpg)
સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક વૃદ્ધએ આર્થિક ભીંસમાં વૃદ્ધ પત્નીને પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. સવારે પત્નીની હત્યા બાદ હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા ૧૦ દિવસથી ઝગડો કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
મૂળ બિહારના વતની અને ૧૩ વર્ષથી સુરતમાં રહેતા દુર્ગાવતી સાધુ ચરણ કેસરી (ઉ.વ. ૫૫)ની હત્યા તેના જ પતિ ૬૫ વર્ષના સાધુ ચરણ (૬૫ વર્ષ)એ હત્યા કરી હતી. હત્યાનો આરોપી પોતાની કમાણી નું બેંકમાં બેલેન્સ કરતો હતો.પત્નીની કમાણી પર જીવતો હતો. જાે કે,ટેક્સ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાને કારણે પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.
મૃતકની બહેન આશા દેવીએ જણાવ્યું હતું કે, સાધુ ચરણ અપશબ્દો કહેતો અને છેલ્લા ૧૦ દિવસથી બહેનનું કામ બંધ રહેતા કાઢી મૂકવાની ધમકી આપી માર મારતો હતો. અમે સમજાવવાની કોશિષ કરી હતી. તો બહેનને વતન મોકલી આપવાની વાત કરતો હતો. અગાઉ વોચમેન તરીકે કામ કરતો પરંતુ કામ ન હોવાથી મારી બહેન દોરા ધાગા કટીંગ કરીને કમાણી કરતી તેના પર નભતો અને પોતાના પૈસા બહેનને આપતો નહી. વળી વતન જવાની જીદ પણ કરતો હોવાથી ઝઘડો થતો હતો.
અશ્વિની કુમાર પટેલ નગરમાં હત્યા થઈ હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. માથામાં પથ્થરના બે ઘા મારી હત્યા કરાઈ હોવાનું સામેઆવ્યું છે. લગ્નના ૩૫ વર્ષ દરમિયાન તેમને કોઈ સંતાન નહોતું. હાલ વરાછા પોલીસે હત્યાના આરોપી પતિને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments