fbpx
ગુજરાત

નારેશ્વર કેનાલમાંથી પેટ્રોલ પંપના માલિકનો મૃતદેહ મળી આવતા ચકચાર

કરજણ તાલુકાના નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાથી ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામના રહેવાસી અને પેટ્રોલ પંપના માલિકના પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને નર્મદા નદી ઉપરના પોઇચા બ્રિજ ઉપરથી મરનારની બિનવારસી કાર પણ મળી આવી છે. રહસ્યના વમળો સર્જનાર આ બનાવ અંગે કરજણ પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના નારેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી એક યુવાનનો મૃતદેહ પોલીસને મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મૃતદેહ અંગે તપાસ કરવામાં આવતા આ લાશ ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામમાં રહેતા અને પેટ્રોલ પંપ સંચાલક અશ્વિનભાઈ પટેલના ૩૫ વર્ષીય પુત્ર મયંક પટેલનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં તેઓને નર્મદા નદી ઉપરના પોઇચા બ્રિજ ઉપરથી મૃતક મયંક પટેલની એસ.યુ.વી. કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી.

રહસ્યના વમળો સર્જનાર આ બનાવ અંગે કરજણ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી પણ વિગતો બહાર આવી હતી કે તારીખ ૧ જુલાઈ ના રોજ મયંક પટેલ વડોદરાથી ઉમરલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન તેનો મૃતદેહ પોઇચા બ્રિજ પાસે નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. મયંક પટેલે આપઘાત કરી લીધો છે કે પછી તેની ઠંડા કલેજે હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવી છે. તે જાણવા પોલીસે લાશને પોષ્ટમોર્ટમ માટે કરજણ સરકારી હોસ્પિટલમાં મોકલી હતી. મળેલી માહિતી પ્રમાણે મયંક પટેલનો મૃતદેહ મળી આવતાં તેના પિતા સહિત પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા પરિવારજનોએ પોલીસને આ બનાવ અંગે ન્યાયિક તપાસ કરવા માગણી કરી છે. અત્રે કરજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/