fbpx
ગુજરાત

માણસા માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજાે બંધ કરી દેવાતા નાગરિકો પરેશાન

ગાંધીનગર જિલ્લાના માણસા એપીએમસી માર્કેટના જાહેર રસ્તા તેમજ મુખ્ય દરવાજાે બપોર બાદ બંધ કરી દેવામાં આવતો હોવાથી નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે એપીએમસીનો જાહેર રસ્તો તેમજ મુખ્ય દરવાજાે તાકીદે ખોલી દેવા નાગરિકો તેમજ ખેડૂતોમાં માંગણી ઉઠવા પામી છે. આ અંગે આમ આદમી પાર્ટી માણસાનાં પ્રમુખ જીગર ચૌધરીએ આક્ષેપ પણ કર્યાં છે.

માણસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો જાહેર રસ્તા અને મુખ્ય દરવાજાે ગેરકાયદેસર બંધ કરવામાં આવતાં નાગરિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કેટલાક લોકો દ્વારા બપોર પછી મુખ્ય દરવાજાે અને ત્યાંથી પસાર થતો જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવે છે. જેથી ગ્રાહકો વેપારીઓ અને નાગરિકો ત્રાહીમામ પોકારી ગયા છે.

આ અંગે આમ આદમી પાર્ટી માણસાનાં પ્રમુખ જીગર ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે, મુખ્ય દરવાજાે તેમજ જાહેર રસ્તો બંધ કરી દેવામાં આવતો હોવાથી કિસાનો પણ આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કેટલાક ગણ્યા ગાંઠ્‌યા લોકોના આ મનસ્વી ર્નિણયથી ભારોભાર નારાજ છે. દરવાજા આસપાસની દુકાનો અને પેઢીઓ અને જાહેર શૌચાલય શુદ્ધાં પણ આ ર્નિણયથી પ્રભાવિત/અસરકર્તા બન્યાં છે.
કેટલાક લોકો પોતાના ધંધા-રોજગારના પ્રતિસ્પર્ધીઓને પ્રતાડિત કરવાના મલિન ઈરાદાથી આ દરવાજાે અને જાહેર રસ્તો બંધ કરાવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. આ ગેરબંધારણીય મનસ્વી ર્નિણય માણસા તાલુકાના પ્રજાજનો અને વેપારી મિત્રો માટે નુકસાનકારક અને ઘાતક સાબિત થશે. જેથી સત્વરે આ અમાનવીય કૃત્ય બદલ જવાબદાર લોકો સામે તત્કાળ પગલાં લેવામાં આવે અને જાહેર રસ્તો અને મુખ્ય દરવાજાે યુદ્ધના ધોરણે ખુલ્લો કરવામાં આવે. આ અંગે કેટલાક વેપારી મિત્રો દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિ-સહકાર મંત્રીને લેખીત રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ હજી સુધી તે દિશામાં કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/