સુરત સ્વ ધમેશભાઈ રાજપૂતની સ્મૃતિમાં ચલમવાડ યુવક મંડળ આયોજિત મહારક્તદાન કેમ્પમાં ૧૧૧૧ રક્તદાન એકત્રિત થયું
![](https://citywatchnews.com/wp-content/uploads/2021/09/IMG-20210905-WA0100-1140x620.jpg)
સુરત શહેર ના ચલમવાડ યુવક મંડળ ના સ્વ ધર્મેશભાઈ રાજપૂત ની સ્મૃતિ માં મહારક્તદાન કેમ્પ યોજાયો તા૫/૯/૨૧ રવિવાર ના રોજ સ્વ ધર્મેશભાઈ રાજપુત ની સ્મૃતિ માં ચલમવાડ યુવક મંડળ આયોજીત મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ૧૧૧૧ બોટલ રક્તદાન થયું છે આ કેમ્પ માં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના યુવાનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત ના તમામ સભ્યશ્રી તરફ થી આયોજકો ના આયોજન ની સરાહના કરાય હતી ચલમવાડ યુવક મંડળ ના સંસ્થાપક સ્વ ધર્મેશભાઈ રાજપૂત દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જીવન પર્યન્ત જીવંત રહે તેવી પ્રવૃત્તિ અવિરત રાખતા આયોજકો એ સમસ્ત માનવ સમાજ માટે ખૂબ ઉમદા કાર્ય કર્યું છે રક્તદાન કેમ્પ યોજી ૧૧૧૧ યુનિટ રક્તદાન મેળવ્યું હતું
Recent Comments