fbpx
ગુજરાત

શિક્ષણ બોર્ડની ચુંટણીમાં રસાકસી બાદ પ્રિયવદન કોરાટ ૧ મતે જીત્યા


શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળની એક જ બેઠક રાખવાની જાહેરાત કરી ત્યારે અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણ પટેલે સંચાલક મંડળની બેઠક પરથી ડો. પ્રિયવદન કોરાટને ચૂંટણી જંગમાં ઉતારવાની મૌખીક સૂચના આપી હતી. જેના પગલે કોરાટે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જાેકે, છેવટે નારણ પટેલે ચૂંટણી માટે પોતાનું નામ મૂકી ઉમેદવારી કરતા તેમના જ સંગઠનના કોરાટે પણ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું અને નારણ પટેલને પછડાટ આપી છે.શિક્ષણ બોર્ડની સૌથી વગદાર ગણાતી સંચાલક મંડળની બેઠક પર મંગળવારની મોડી રાત સુધી ખેંચતાણ બાદ સ્વતંત્ર ઉમેદવાર ડો. પ્રિયદવન કોરાટને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

તેઓ પોતાના નજીકના હરીફ નારણ પટેલને ૧ મતે હરાવી બોર્ડ મેમ્બર બન્યા છે. સંચાલક મંડળની બેઠકની ગણતરીમાં રાતે દોઢ વાગ્યા સુધી થઈ હતી અને છેવટે ૨ વાગ્યે બોર્ડ દ્વારા કોરાટને વિજેતા જાહેર કર્યા હતા. દર કલાકે સંચાલક મંડળની બેઠક પર જીતનું ચિત્ર બદલાતું હતું. કોરાટને ૧૩૪૮ મત મળ્યા હતા, જ્યારે નારણ પટેલને ૧૩૪૭ મત મળ્યા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા ૭ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬ બેઠકોના પરિણામ તો રાતના ૮ વાગ્યા સુધી આવી ગયા હતા. પરંતુ સૌથી ચર્ચાસ્પદ ગણાતી સંચાલક મંડળની બેઠકમાં રસાકસી જામતા મામલો અટવાયો હતો. સૌપ્રથમ મતગણતરી પૂર્ણ થઈ ત્યારે નારણ પટેલ ૬ મતે વિજેતા થયા છે તેવા સમાચારો ફેલાવી દેવાયા હતા. જાેકે, ખરેખર તે વખતે ડો. પ્રિયવદન કોરાટ ૧ મતે વિજેતા જાહેર થયા હતા.

આમ, કોરાટ વિજેતા જાહેર થતાં નારણ પટેલે રિ-કાઉન્ટિંગની માંગણી કરી હતી. રિ-કાઉન્ટિંગમાં અન્ય ઉમેદવારોના મત ચકાસતા તેમાંથી નારણ પટેલના ૩ મત મળી આવ્યા હતા. આમ, રિ-કાઉન્ટિંગ વખતે ૩ મત મળતા નારણ પટેલ ૨ મતે વિજેતા થાય તેમ હતા. જાેકે, આ દરમિયાન બોર્ડ દ્વારા મતગણતરીને લઈને કાયદાકીય અભિપ્રાય લેવામાં આવતા તેમાં પેનથી ચોકડી મારેલા મતો પણ ગણવાનું નક્કી થયું હતું. આવા ૩ મતો હતા, જેમાંથી ૨ કોરાટને અને ૧ નારણ પટેલને મળતા ફી નારણ પટેલ ૧ મતે જીતે તેમ હતું. જાેકે, આ મતો ઉપરાંત ૨ મત કવરમાં હતા, અને તેની ગણતરી કરવાની બાકી હોઈ બોર્ડ દ્વારા તે મતોની ગણતરી પણ કરવામાં આવી હતી. આ ૨ મત કોરાટના નીકળતા છેવટે ડો. પ્રિયદવન કોરાટને ૧ મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, સાંજથી શરૂ થયેલી મતગણતરીની ગડમથલ રાતના દોઢ વાગ્યા સુધી ચાલી હતી અને રાતે દોઢ વાગ્યે બોર્ડ દ્વારા સત્તાવાર રીતે ડો. પ્રિયવદન કોરાટને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પ્રિયવદન કોરાટને કુલ ૧૩૪૮ મત મળ્યા હતા, જ્યારે નારણ પટેલને ૧૩૪૭ મત મળ્યા હતા. આમ, માત્ર એક મતથી આ બેઠક પ્રિયવદન કોરાટે જીતી છે. બોર્ડની ચૂંટણી જીતવી એ ડો. પ્રિયવદન કોરાટ માટે નવી વાત નથી. આ પહેલી વખત તેઓ ચૂંટણી જીત્યા હોય તેમ નથી. આ અગાઉ બોર્ડની સતત ચાર ચૂંટણીઓમાં તેઓ સંચાલક મંડળની બેઠક પરથી વિજેતા બન્યા છે.

જાેકે, અગાઉ સંચાલક મંડળની ૪ બેઠકો રહેતી હોઈ અન્ય ઉમેદવારો પણ જીતતા હતા. જાેકે, આ વખતે સમગ્ર રાજ્યમાં એક જ બેઠક હોવાથી સ્પર્ધા હતી. તેમાં પણ ડો. પ્રિયવદન કોરાટ વિજેતા બનતા હવે તેઓ સતત પાંચમી ટર્મ માટે બોર્ડના મેમ્બર બન્યા છે. સંચાલક મંડળની બેઠક પરથી ઉભા રહેલા મંડળોના માન્ય ઉમેદવારોની હાર થઈ છે. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે નારણ પટેલ મેદાનમાં હતા. ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળના માન્ય ઉમેદવાર તરીકે ડો. દિપક રાજ્યગુરૂ હતા. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉમેદવાર તરીકે જગદીશ ચાવડા હતા. આમ, રાજ્યના ૪ માન્ય સંઘના ઉમેદવારો સામે ડો. પ્રિયવદન કોરાટ સ્વતંત્ર ચૂંટણી લડી રહ્યા હતા. તેમ છતાં તેમણે તમામ માન્ય ઉમેદવારોને હરાવી ચૂંટણી જીતી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/