fbpx
ગુજરાત

અમદાવાદ એરપોર્ટ રોજ ૯ કલાક એરપોર્ટનો રનવે બંધ રહેશે

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તમામ વિમાન સવારે ૯ કલાકે રનવે બંધ થાય તેના પહેલા ઉડાણ ભરશે અથવા પહોંચશે અથવા સાંજે ૬ વાગ્યા પછી કાર્યરત થશે. ‘અમે રનવે બંધ થતા પહેલા અથવા પછી વધારેમાં વધારે સંખ્યામા ફ્લાઈટ્‌સની સગવડનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેથી મુસાફરોને અસુવિધા ન થાય’, તેમ પ્રવક્તાએ કહ્યું હતું. સૂત્રોએ તે વાતની પણ પુષ્ટિ કરી હતી કે, રનવે બંધ રહેવા અંગે ર્દ્ગં્‌છસ્ (નોટિસ ટુ એરમેન) જાહેર કરવામાં આવ્યું છે.

મેન્ટેનન્સમાં મહત્વપૂર્ણ પુનઃસ્થાપન સામેલ છે તેથી રનવે બંધ રહેવાના સમયગાળા દરમિયાન ટેકઓફ અને લેન્ડિંગ માટે ઉપલબ્ધ હશે નહીં. કેટલીક ફ્લાઈટ કેન્સલ થવાની પણ શક્યતા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, મેન્ટેનન્સ વ્યાપક પ્રમાણમાં થશે, જેમાં રનવે ઓવરલેયિંગ, રનવે સ્ટ્રિપ ગ્રેડિંગ અને સ્લોપ એસેસમેન્ટ, રનવે એન્ડ સેફ્ટી એરિયા (ઇઈજીછ) ગ્રેડિંગ અને સ્લોપ એસેસમેન્ટની સાથે વરસાદી પાણીના નિકાલ માટે ગટરના નિર્માણનો સમાવેશ થાય છે. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરનો રનવે ૩ જાન્યુઆરી, ૨૦૨૦થી સંપૂર્ણ પુનનિર્માણ માટે તૈયાર છે.

એરપોર્ટના સત્તાધીશોને શુક્રવારે એવિએશન રેગ્યુલેટર, ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી મંજૂરી મળી હતી. ૧૪૯ દિવસ માટે- ૩ જાન્યુઆરીથી ૨૧ મે સુધી- રવિવાર અને જાહેર રજા સિવાય, રન-વે સવારના ૯થી સાંજના ૬ વાગ્યા સુધી એમ ૯ કલાક બંધ રહેશે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘મેન્ટેનન્સ માટે રનવે બંધ રાખવાનું શિડ્યૂલ આંતરરાષ્ટ્રીય સુરક્ષાના ધોરણો અનુસાર અને વિમાનની સલામતી સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત કાર્યવાહી છે. તેથી, આ સલામતી નિયમનકારના માર્ગદર્શન હેઠળ તમામ સંબંધિત હિતધારકોની સલાહ લેવામાં આવી છે’. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુખ્યત્વે પીક અવર્સમા વધારે ફ્લાઈટ્‌સ પ્રભાવિત થવાથી ઓપરેશન પ્રભાવિત થઈ શકે છે, જાે સપ્લાય-સાઈડ અવરોધો વચ્ચે માગ વધે તો વિમાનના ભાડામા વધારો થવાની શક્યતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/