fbpx
ગુજરાત

વડોદરામાં ધીમી ગતિએ કોરોના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે

વડોદરા શહેરમાં હાલમાં ડેન્ગ્યુ કરતા ચિકનગુનિયાના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુના ૩૮ નમુના પૈકી ૩ કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના ૪૭ નમૂનાઓમાંથી ૬ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે તાવ આવતો હોવાની ૬૭૦ ફરિયાદ મળી હતી. જેમાં ૪૬ જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટી હોવાનું ચોપડે નોંધાયું છે. સાથે સાથે સમામાં એક કેસ ટાઇફોઇડનો સામે આવ્યો છે.એસ.એસ.જીમાં ડેન્ગ્યુના ૫ અને ચિકનગુનિયાના ૧૩ કેસ નોંધાયા હતા. પાલિકાની વિવિધ ટીમોએ છેલ્લા બે દિવસમાં ૨૦ કન્સ્ટ્રક્શન સાઈટ પર અને ૨ હોસ્ટેલ અને સ્કૂલમાં તપાસ કરી હતી. શહેરના રામદેવનગરમાં કમળાનો એક કેસ નોંધાયો હતો. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૨૪૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૬૮૯ પશ્ચિમ ઝોનમાં ૧૨,૦૫૧, ઉત્તર ઝોનમાં ૧૧,૮૩૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૮૪૬, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૭૮૧ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા ૩૬ કલાકમાં કોરોનાના નવા ૮ કેસ આવ્યા હતા. વડોદરા શહેરના વાસણા, ગોત્રી રોડ, વીઆઇપી રોડ, ગોરવા અને વાઘોડિયા રોડ વિસ્તારમાં નવા કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને ૭૨,૨૪૨ પર પહોંચી હતી અને રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધીને ૭૧,૫૭૪ ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસ ધીરે ધીરે વધી રહ્યા છે. પાલિકાએ ટેસ્ટિંગ વધાર્યું છે. ગુરુવારે શહેરમાં લેવાયેલા ૫,૯૯૨ નમૂનાઓમાંથી ૮ કેસ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરાઇ છે. વડોદરા શહેરના દિવાળીપુરા, ગાજરાવાડી અને સુભાનપુરા વિસ્તારમાં પોઝિટીવ કેસ નોંધાયા છે. હાલમાં શહેરમાં એક્ટિવ દર્દીની સંખ્યા ૪૫ છે. જેમાં ૪૧ દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે ૩ દર્દી ઓક્સિજન પર અને ૧ દર્દી વેન્ટીલેટર પર છે. ગુરુવારે સારવાર લઈ રહેલા ૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ચાલી રહેલા કોરોના રસીકરણમાં ગુરુવારે વધુ ૧૧૩૬૧ લોકોએ રસી મુકાવી હતી. આ સાથે રસીના પ્રથમનું ૧૦૦ ટકાનુ લક્ષાંક પૂર્ણ થયા બાદ વધુ ૧૫૧૮ લોકોએ રસીનો પ્રથમ ગુરુવારે મુકાયો હતો આ સાથે શહેરના પ્રથમ ડોઝના રસીકરણની ટકાવારી ૧૦૦.૩૦% થઇ છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ હવે છેલ્લા ઘણા સમયથી બીજા દેશના લોકોની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે તે મુજબ ગુરુવારે પણ ૯૮૪૩ લોકોએ રસીનો બીજાે ડોઝ મુકાયો હતો. આ સાથે શહેરમાં ૮૪.૦૮% લોકો ફુલ્લી વ્યક્તિનેટેડ થયા છે. જેને પગલે બેકલોગની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/