31 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાશે
31 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાશે ખાસ કરીને મોદી સરકારના 8 વર્ષની ઉજવણી ના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાશે.
મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ આઠ વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંગે સંબોધન કરતા જણાવ્યું કે, આગામી 30 મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ભાજપની એનડીએની સરકારને 8 વર્ષ પુર્ણ થાય છે 8 વર્ષના શાસનમાં આપણે પંડિત દિન દયાળજીની કલ્પના અને વિચારો ,દરિદ્રનારાયણની સેવા,અંત્યોદયની ભાવનાને ઉજાગર કરવું અને છેવાડાના માનવીની સેવા કરવી સરકારની યોજનાનો લાભ આપવો તે વાત ને સાર્થક આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 8 વર્ષના સુશાસનમાં દરેક ક્ષેત્રના લોકોનો સમાવેશ કરીને સરકારની યોજના જાહેર કરી લાભો આપ્યા છે. ..રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજીના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં 30 તારીખે યોજનાનો પ્રારંભ થશે અને 15 તારિખ સુધી યોજના ચાલશે તેમાં બુથ સ્તરેથી મંડળ અને રાષ્ટ્રીય સ્તરના કાર્યકરો અલગ અલગ રીતે કામ કરી સાચા અર્થમા 8 વર્ષ સેવા અને સુશાસનની વાત, સિદ્ધીઓની વાત લોકો સુધી પહોંચાડા અંગે માહિતી આપી.
30 તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્ર સરકારની ઉપલ્બધીઓની બુકનુ વિમોચન કરશે. 31 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કિસાન સન્માન નિધીના કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ માધ્યમથી એક સાથે જોડાશે. આમ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી.
Recent Comments