વડોદરા સલાટવાડા એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/06/featured_1654075760-1140x620.jpg)
વડોદરા સલાટવાડા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્રિજમાં ઓવરહિટીંગને કારણે આગ લાગવાની ઘટના બની હતી. વડોદરા શહેરના સલાટવાડા સ્થિત આનંદપુરા ખાતે આવેલ જયરણછોડ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્રિજમાં ઓવરહિટીંગને કારણે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
આ બનાવની જાણ થતાં દાંડિયાબજાર ફાયરબ્રિગેડની ટીમની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સમય રહેતા ઘરના સભ્યો બહાર નિકળી જતાં કોઇને ઇજા કે જાનહાની થવા પામી ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફ્રિજના ઓવરહિટીંગનું જાણવા મળ્યું હતું. આગમાં કેટલાનુ નુકશાન થયું છે તે જાણી શકાયું ન હતું. સમગ્ર બાબતે સબ ફાયર ઓફિસર દિગ્વિજય સિંહ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
આ બનાવની વધુ વિગત મુજબ વડોદરા સલાટવાડા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્રિજમાં ઓવરહિટીંગને કારણે આગ શહેરના સલાટવાડા સ્થિત આનંદપુરા ખાતે આવેલ જયરણછોડ એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં દાંડિયાબજાર ફાયરબ્રિગેડની ટીમની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સમય રહેતા ઘરના સભ્યો બહાર નિકળી જતાં કોઇને ઇજા કે જાનહાની થવા પામી ન હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ ફ્રિજના ઓવરહિટીંગનું જાણવા મળ્યું હતું. આગમાં કેટલાનુ નુકશાન થયું છે તે જાણી શકાયું ન હતું. સમગ્ર બાબતે સબ ફાયર ઓફિસર દિગ્વિજય સિંહ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
Recent Comments