fbpx
ગુજરાત

દાહોદના બોગડવામાં ૬ વર્ષના બાળકને સાપ કરડતાં મોત નીપજ્યું

દાહોદના બોગડવા ગામના ખાટીયા આંબા ફળિયામાં રહેતાં શંકરભાઈ રૂપાભાઈ સુથારીયાની ૬ વર્ષીય દીકરી લક્ષીતાબેન શંકરભાઈ સુથારીયા બપોરના સાડા ત્રણ વાગ્યાના આસપાસ ઘરના આંગણામાં રમતી હતી. તે સમયે એક ઝેરી સાપ તેને કરડી જતાં તેની સ્થિતી ગંભીર બની હતી . જાેતજાેતામાં કાળોતરાનું ઝેર આખા શરીરમાં પ્રસરી જતાં પરિવારજનો દ્વારા લક્ષીતાબેનને ધાનપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે બાળાને મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગમીની ફેલાઈ ગઈ હતી. માતાએ પોલીસને જાણ કરી આ સંબંધે મૃતક બાળાની માતા નંદાબેન શંકરભાઈ સુથારીયાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે ખાટીયા આંબા ફળિયામાં ઘરના આંગણામાં ૬ વર્ષીય બાળા રમી રહી હતી. આ બાળકીને સાપ કરડી જતાં તેને સારવાર માટે દવાખાને લઈ જતાં ફરજ પરના તબીબે બાળાને મૃત જાહેર કરતાં બાળકીના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/