નેનપુરમાં નજીવી બાબતે પાડોશી દંપતીએ યુવકને માર મારી ધમકી આપી
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/07/File-01-Page-19.jpg)
નડિયાદના નેનપુરમાં રહેતા અરૂણાબેન વિનોદભાઈ પરમારનો દીકરો દર્શન રાત્રે ગામમાં આટો મારવા જતો હતો ત્યારે પાડોશમાં રહેતા મનુભાઈ વાઘેલાએ દર્શનને સામા મળ્યા હતા. ત્યારે અઠવાડિયા અગાઉ મનુભાઈ અને તેમની પત્ની સપનાબેન ઘર નજીક પડેલ કચરો સળગાવતા ધુમાડો અરૂણાબેનના ઘર બાજુ આવતો હોઈ તેમણે પાણી નાખી ઓલવી દીધા બાબતને લઈ ઝગડો કર્યો હતો. તેની અદાવત રાખી મનુભાઈએ દર્શનને ગાળો બોલી ગડદા પાટુનો મારમાર્યો હતો. જ્યારે તેમની પત્ની સપનાબેન દર્શનને મારવા જતા અરૂણાબેન છોડાવવા દોડી આવ્યાં હતા. તેમજ બૂમાબૂમ થતાં અન્ય લોકો આવી જતા મનુભાઈ વાઘેલા અને સપનાબેન તમામ સામે ફરિયાદ આપી પુરાવી નાખવાની ધમકી આપી મારો બાપ વકીલ છે તારા બન્ને દીકરા ભણેલા છે
તેમને સરકારી નોકરી કેમની અપાવીશ તેમનું કેરિયર બગાડી નાખીશ તેવી ધમકી આપી નાશી ગયા હતા. આ બનાવ અંગે અરૂણાબેન વિનોદભાઈ પરમારની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે મનુભાઈ રતિલાલ વાઘેલા તથા સપનાબેન મનભાઈ વાઘેલા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.મહેમદાવાદ તાલુકાના નેનપુર રોહિત વાસના રસ્તા પર કચરો સળગાવતા ધુમાડો આવવાના મુદ્દે દંપતીએ એક યુવકને ગડદા પાટુનો માર માર્યો હતો. તેમજ બન્ને દીકરાની કેરીયર ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. જેથી મહેમદાવાદ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Recent Comments