fbpx
ગુજરાત

ચુવાળીયા કોળી સમાજનું હેમુ ગઢવી હોલમાં સંમેલન મળશે

દેવજી ફતેપરાએ બોલાવેલું સંમેલન ભાજપ પ્રેરિત હોવાનો દાવો કરાઇ રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આગેવાનો, પૂર્વ સાંસદ, ધારાસભ્યો હાજર રહે તેવી સંભાવના છે. દેવજી ફતેપરાએ ન્યારી ડેમ પાસે ફાર્મ હાઉસમાં સંમેલન યોજશે. જેમાં એકાદ હજાર આગેવાનો હાજરી આપશે. ઉલ્લેખની છે કે, કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા વચ્ચે સમાધાન થઈ ગયું છે, પણ દેવજીભાઈના સંમેલનમાં કુંવરજી બાવળિયા આવશે કે નહીં તેનો હજુ ચોક્કસ જવાબ મળ્યો નથી, આ અંગે આગેવાને જણાવ્યું હતું કે, અમે જાહેર આમંત્રણ આપ્યું છે, કુંવરજીભાઈ વ્યસ્તતાના લઈ આવશે કે નહીં તે જાેવું રહ્યું.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં સામાજિક સંગઠનો સક્રિય થયા છે. રાજકોટમાં સંગઠનના નામે કોળી સમાજમાં રાજકીય ભાગલા જાેવા મળી રહ્યા છે. શહેરમાં બે અલગ અલગ સંમેલન યોજાશે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ન્યારી ડેમ પાસે આવેલા ફાર્મ હાઉસમાં મહાસંમેલન મળશે, જ્યારે કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલ ખાતે ચુવાળીયા કોળી સમાજનું સંમેલન યોજ્યું છે. જાેકે અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાતના પ્રમુખ ધર્મેશ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, કોળી સમાજનું સંમેલન છે પણ મને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

ચુવાળિયા અને તળપદા કોળી સમાજનું સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી. દેવજી ફતેપરાએ કોળી સમાજના સંમેલનનું આયોજન કર્યું છે. તેમાં મેં તળપદા કોળી સમાજના આગેવાનોને ફોન કરી જાણ્યું તો કોઈ પણ સમાજને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ સંમેલન ભાજપ પ્રેરિત હોય શકે અથવા માત્ર ચુવાળીયા કોળી-ઠાકોર સમાજનું સંમેલન હોય શકે. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અમે કોળી સમાજમાંથી કુંવરજીભાઈ અને પરસોતમભાઈને ટિકિટ આપવાની વાત કરી હતી. અમે ભાજપ તરફ જાેઇ રહ્યા છીએ કોઈ પાર્ટી કાપશે તો સહન કરીશું નહીં.

સૌરાષ્ટ્રમાં ૩૦થી ૩૫ બેઠક પર કોળી અને ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. દેવજી ફતેપરાના મહાસંમેલનમાં સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. કોળી સમાજને રાજકીય અને સામાજિક રીતે આગળ લાવવાનો પ્રયત્ન કરાશે. દેવજી ફતેપરાએ સ્થાપેલી વેલનાથ સેનાના નેજા હેઠળ સ્થાપેલી વેલનાથ સેનાના નેજા હેઠળ સંમેલન મળશે. બીજી તરફ કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલમાં ચુવાળિયા કોળી સમાજનું સંમેલનનું આયોજન કર્યું છે. રણછોડ ઉધરેજાએ જણાવ્યું હતું કે, કોઈ ફાંટા નથી પણ વ્યક્તિગત મતભેદ હોય શકે એટલે બે બેઠકના આયોજન થયા છે.

ચૂંટણીમાં સમાજને અન્યાય થાય છે, પાટીદાર સમાજને એક જિલ્લામાંથી બે-બે ટિકિટ આપવામાં આવે છે તો અમારા સમાજને કેમ નહીં, સાથે રહી વિધાનસભાની ચૂંટણી લડીશું. રાજકોટમાં કોળી સમાજને મજબૂત બનાવવાના હેતુથી બે અલગ અલગ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સંમેલનો મળી રહ્યા છે. પરંતુ કોળી સમાજમાં રાજકીય, સામાજિક સંગઠનોને રાજકીય આગેવાનોની મદદથી સક્રિય રીતે ભાગલા પડ્યા હોય તેમ એક સમયે બે અલગ અલગ સંમેલન કરવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/