fbpx
ગુજરાત

ગોત્રી હોસ્પિટલમાં ૩૧ ડોક્ટરોની એકસાથે બદલી કરવામાં આવી

વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં રોજના સરેરાશ ૩થી ૫ મેજર સર્જરીઓ અને ૭થી ૧૨ જેટલી માઇનોર સર્જરી થતી હોય છે. હવે જ્યારે સર્જરી વિભાગના એચઓડી સહિતના ૨ સહપ્રાધ્યાપક અને ૩ મદદનીશ પ્રાધ્યાપક કક્ષાના તબીબોની બદલી કરાતા જટિલ સર્જરીઓ અટવાશે. કારણ કે, જે તબીબોની બદલીઓ થઇ છે તે ખૂબ જ અનુભવી અને નિષ્ણાત મનાય છે. જટિલ સર્જરીના કિસ્સામાં જાે સર્જરીના સમયે જ કટોકટી સર્જાય ત્યારે કંઇ અઘટિત બની જાય તો જવાબદાર કોણ રહેશે. સાગમટે થયેલી બદલીઓ વિશે જ્યારે કોલેજના ડીન ડો. મયૂર અડાલજાને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘ આ બદલીઓ આઇએએસ કક્ષાના અધિકારીઓ દ્વારા થયેલી છે. મારા મતે આ બદલીઓથી કોઇ ફરક પડશે નહીં. આ ડેપ્યૂટેશન પર છે.

ગોધરામાં વ્યવસ્થા ગોઠવાઇ જતા તેમના પરત બદલીના ઓર્ડર થઇ જશે.’ સૂત્રો મુજબ ગોધરામાં ૨થી ૩ દિવસમાં ઇન્સ્પેકશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક સાથે પ્રોફેસર કક્ષાના ૫-૫ અધ્યાપકો અને ૧૨ સહપ્રાધ્યાપકોની બદલી થઇ છે. આ તમામ પોતાના વિષયમાં તજજ્ઞ મનાય છે અને બહોળો અનુભવ ધરાવે છે. થિયરીમાં જ નહીં પ્રેક્ટિકલમાં પણ વિદ્યાર્થીઓને આ પ્રાધ્યાપકોની ખોટ સાલસે. જાેકે ડીને અભ્યાસમાં પણ વિદ્યાર્થીઓને કોઇ અસર નહીં પડે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બદલીઓમાં પૂર્વ ડીન ડો. વર્ષા ગોડબોલે અને સર્જરી વિભાગના હેડ ડો. અમૂલ ભેદીનો પણ સમાવેશ થાય છે.

ગોધરાની નવી જીઇએમઇઆરએસ હોસ્પિટલ માટે આગામી ૨-૩ દિવસમાં ઇન્સ્પેકશન થવાનું હોવાથી ગોત્રી જીએમઇઆરએસમાંથી ૩૧ તબીબો-પ્રાધ્યાપકોની સાગમટે બદલી કરાઈ હતી. આ બદલી ગોત્રી હોસ્પિટલ અને કોલેજમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કારણ કે, ગોત્રી હોસ્પિટલ જ્યાં ટર્શરી કેર સેન્ટર છે. જટિલ સર્જરી કરવી પડે તેવા દર્દીઓ અટવાય તેવી શકયતા છે. જ્યારે સર્જરી કરવા માટે નિષ્ણાત એનેસ્થેટિસ્ટની જરૂર પડતી હોય છે તે પૈકીના ૨ તબીબોની પણ બદલી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/