fbpx
ગુજરાત

ગરબાડાના આંબલી ખજૂરિયામાં પરિણીતાએ ઘરમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામે એક ૨૦ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જેથી ચકચાર મચી ગઈ છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તા.૨૯મી સપ્ટેમ્બરના રોજ આંબલી ખજુરીયા ગામે વેડ ફળિયામાં રહેતાં રમીલાબેન નીલેશભાઈ ભાભોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં આવેલા રૂમમાં લાકડાના સરા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક પરણિતાના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. આ સંબંધે મૃતક પરણિતાના પતિ નીલેશભાઈ જાલુભાઈ ભાભોરે જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/