મોરબી કરુણાંતિકામાં હતભાગીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/11/File-01-Page-18-1140x620.jpg)
મોરબી સ્થિત મચ્છુ નદી ખાતે ઝૂલતો પુલ તુટી પડવાની ઘટનામાં નાના બાળકો સહિત ૧૩૦થી વધુ વ્યક્તિઓ મોતને શરણ થયા છે. આ કરુણ બનાવના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં શ્રદ્ધાંજલિ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના જાેધપુર ગેઈટ ઉપરાંત ભાટિયા, સુરજકરાડી-ઓખા પાલિકા વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીન ગજ્જનના વડપણ હેઠળ ગઈકાલે રાત્રે કેન્ડલ માર્ચ તેમજ દીપક પ્રગટાવી સાથે બે મિનિટનું મૌન પાળીને આ હોનારતમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
Recent Comments