૧૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરદારધામ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત સુરત માટે ઉદારહાથે દાતા પરિવારોની સખાવત
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/12/IMG-20221226-WA0022-1140x475.jpg)
અમદાવાદ સરદારધામ અમદાવાદ-ગાંધીનગર ઝોન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને આયોજીત સ્નેહમિલન એવમ સન્માન સમારોહમાં પ્રમુખસેવક ગગજી સુતરીયા એવમ ટીમ સરદારધામ દક્ષિણ ગુ.ની વિનંતીને માન આપીને 1000 કરોડના ખર્ચે બનનારી સરદારધામ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત સુરત માં શ્રી જયંતિભાઈ વિરજીભાઈ બાબરીયા (અંજની ગૃપ-સુરત) રૂ.10 કરોડના (5 વીઘા જમીન) ગૌરવવંતા મુખ્ય ભુમિદાતાશ્રી તરીકે જોડાય છે તેમજ સંસ્થા ના સ્થાપક ટ્રસ્ટીશ્રી અબજીભાઇ ધોળૂ, સ્થાપક ટ્રસ્ટીશ્રી શિવજીભાઇ ધોળુના સુપુત્રશ્રી જગદીશભાઇ શીવજીભાઇ ધોળુ (નીલકંઠ માઈનીંગ કંપની-અમદાવાદ) રૂ.51 લાખ લખાવીને ગૌરવવંતા સ્થાપક ટ્રસ્ટીશ્રી તરીકે ધોળુ પરિવારની ઉપસ્થિતીમાં જોડાય છે.સ્થાપક ટ્રસ્ટીશ્રી શિવજીભાઇ ધોળુના સુપુત્રશ્રી વિંનેશભાઇ શીવજીભાઇ ધોળુ (નીલકંઠ માઈનીંગ કંપની-અમદાવાદ) રૂ.51 લાખ લખાવીને ગૌરવવંતા સ્થાપક ટ્રસ્ટીશ્રી તરીકે ધોળુ પરિવારની ઉપસ્થિતીમાં જોડાય છે.
સ્નેહમિલન એવમ સન્માન સમારોહમાં ગુજરાત રાજ્ય ના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ, પુર્વ ડેપ્યુટી સી.એમ.શ્રી નિતીનભાઇ આર.પટેલ, ઉપપ્રમુખશ્રી કાંતિભાઇ ગઢીયા, પ્રમુખસેવક ગગજી સુતરીયા એવમ ટીમ સરદારધામની વિનંતીને માન આપીને શ્રી જયંતિભાઈ આત્મારામભાઈ પટેલ (ચેરમેન & એમ.ડી એસ.સી.સી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.અમદાવાદ) રૂ. 51 લાખના સ્થાપક ટ્રસ્ટી હતા જે બીજા રૂ.50 લાખનું દાન એટલે ટોટલ રૂ. 1 કરોડનું અનુદાન લખાવીને ગૌરવવંતા વીંગદાતાશ્રી તરીકે જોડાય છે માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્નેહમિલન એવમ સન્માન સમારોહમા પ્રમુખસેવક ગગજી સુતરીયા એવમ ટીમ સરદારધામની વિનંતીને માન આપીને સ્થાપક ટ્રસ્ટીશ્રી રમેશભાઇ પટેલના ધર્મપત્ની શ્રીમતી કલ્પનાબેન રમેશભાઇ પટેલ (મેઘમણી ગૃપ-અમદાવાદ) રૂ.51 લાખ લખાવીને ગૌરવવંતા સ્થાપક ટ્રસ્ટીશ્રી તરીકે જોડાય છે.
૧૦૦૦ કરોડ ના ખર્ચે નિર્માણ શેક્ષણિક સંસ્થાન સરદારધામ ના નિર્માણ માં ઉદાર હાથે સખાવતો કરનાર દાતા પરિવાર પ્રત્યે સર્વત્ર આભાર ની લાગણી વ્યક્ત કરાય રહી છે કેળવણી એ અનેકો ના જીવન દિપ પ્રજ્વલિત કર્યા છે શિક્ષણ માંગલ્ય છે જ્ઞાન ના છોડ નું વાવેતર કરનાર દાતા સમસ્ત જગત માટે શીતળ છાંયડો કરી જાય છે ભાવિ પેઢી નું મીષ્કર્ષ એટલે ઉત્તમ કેળવણી માટે નિર્માણ સરદારધામ યુનિવર્સિટી દક્ષિણ ગુજરાત સુરત સમસ્ત જગત ને શ્રેય માર્ગે ચાલવા ની પ્રેરણા આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરતા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાન ના અગ્રણી ઓ
Recent Comments