વડાપ્રધાનના માતાના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ભિલોડાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખેરાડી ગામે યોજાઈ પ્રાર્થના સભા અને રામધૂન
![](https://citywatchnews.com/wp-content/uploads/2022/12/File-01-Page-34-8-1140x620.jpg)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દાતા આદરણીય હીરાબાની તબિયત નાદુરસ્ત છે. ત્યારે હાલ તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. ત્યારે તેમના સારા સ્વાસ્થ્ય માટે ભિલોડાના ખેરાડી મુકામે ભિલોડા ધારાસભ્ય પી.સી. બરંડાના અધ્યક્ષ સ્થાને પ્રાર્થના યોજાઈ હતી. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત નાજૂક છે. જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ત્યારે આજે ભીલોડા ના ધારાસભ્ય પી.સી. બરંડા દ્વારા ખેરાડી મુકામે પ્રાર્થના સભા, મૃત્યુંજય મંત્ર તેમજ રામધૂનનું આયોજન કરાયું હતુ. પરમ કૃપાળુ પરમાત્મા હીરાબાનું સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ શક્તિ આપે અને જલ્દી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થના સભામાં ધારાસભ્ય પી.સી. બરંડા સહિત જિલ્લા પંચાયત સદસ્ય નિલબેન મળિયા, સાબર ડેરી ડિરેક્ટર જેશીંગભાઈ પટેલ, ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી હીરા બાની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.
Recent Comments