કોમર્સમાં રહેલ સુવર્ણ તકો અને બોર્ડની પરીક્ષાની તૈયારી બાબતે માર્ગદર્શન સેમિનાર
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/01/unnamed-1140x620.jpg)
મોટેભાગે કોમર્સના વિદ્યાર્થીઓ એવી લગુતાગ્રંથી ધરાવતા હોય છે કે કોમર્સમાં ક્ષેત્રમાં યોગ્ય તકો ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓની આજ ગેરમાન્યતા દૂર કરવા માટે ભવ્ય જ્યોત વિદ્યાલય – કામરેજ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભાવેશભાઈ હિરપરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન Focus CA Institute દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ કોમર્સમાં આઉટસોર્સિંગનાં કાર્યો વિશે માહિતી આપવામાં આવી હતી. કોઈપણ વિદ્યાર્થી યોગ્ય માર્ગદર્શન અને તાલીમ દ્વારા વિદેશી કંપનીઓનું એકાઉન્ટ લખીને લાખો રૂપિયામાં કમાણી કરી શકે છે. સાથે સાથે આ સેમિનારમાં કઈ રીતે તૈયારી કરીને સારામાં સારું પરિણામ મેળવી શકાય, તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પરીક્ષાની તૈયારી કરવાની વિશિષ્ઠ પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં 5% થી લઈને 25% સુધીનો સુધારો થઈ શકે છે.
સંચાલક શ્રી મનુભાઈ લાડુમોર, આચાર્યશ્રી બાલકૃષ્ણભાઈ ડાંગોદરા અને સ્કૂલની ટીમનો ખુબજ સહકાર પ્રાપ્ત થયો હતો.
Recent Comments