fbpx
ગુજરાત

સુરતમાં અંગત અદાવતમાં ભંગારના વેપારી પર ફાયરિંગ કરાયું

સુરતના ઉધના રોડ નંબર ૯ પાસે ભંગારના વેપારી જાવીદ સલીમ શાહ નામના વ્યક્તિ પર બાઈક પર આવેલા બે ઈસમોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાે કે સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો હતો. ફાયરિંગ કરી બાઈક પર આવેલા ઈસમો ફરાર થઈ ગયા હતા. અગાઉ ૪ દિવસ પહેલા થયેલા ઝઘડામાં આ ફાયરિંગ કરાયું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે. બીજી તરફ ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ઉધના વિસ્તારમાં જાવીદ સલીમ શાહ નામના વ્યક્તિની ભંગારની દુકાન છે. તેઓ સવા દસ વાગ્યાના અરસામાં પોતાની દુકાન આગળ ઉભા હતા ત્યારે તેમનાથી દસેક ફૂટના અંતરે બે અજાણ્યા ઈસમોએ બાઈક પર આવી ફાયરિંગ કર્યું હતું, આ અંગત અદાવતમાં બનાવ બન્યો હોવાની હાલ માહિતી મળી છે.

આ મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.સુરતના ઉધના રોડ નંબર ૯ પાસે ફાયરિંગની ઘટના બની છે. ભંગારના વેપારી પર બે લોકો બાઈક પર આવી ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. જાે કે, સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/