અનુસૂચિત જાતિના એન્જિનિયરિંગના વિદ્યાર્થીને ૪ સવર્ણ સહપાઠી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા,ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ પો.સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/02/Page-34-1140x620.jpg)
રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજ ફરી વિવાદમાં આવી છે. કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થી સાથે અભ્યાસ કરતા સવર્ણ જાતિના ૪ વિદ્યાર્થી જ્ઞાતિ વિશે એલફેલ બોલ્યા હતા. બાદમાં કોલેજ બહાર ચારેય વિદ્યાર્થીએ ઢોરમાર મારી બેભાન કર્યો હતો, આથી વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. વિદ્યાર્થીએ માર મારનાર આ ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિદ્યાર્થીએ આરોપીઓ તરીકે સુજલ અશોકભાઈ નરોડિયા, નંદનકુમાર ગામી, પૂર્વ અને એક અજાણ્યા વિદ્યાર્થીનાં નામ આપ્યા છે. પોલીસે આ ચારેય વિદ્યાર્થી વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬-૨, ૧૧૪ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ અન્વયે ૨૦૧૮ની સુધારાની કલમ ૩(૨) (૫-અ) ૩ (૧) (ઇ) (જી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Recent Comments