fbpx
ગુજરાત

દરેડ પાસે નહેર પર બનેલા બોક્સને અરજદારે જાતે દૂર કરીને વિવાદનો અંત લાવ્યાં

જામનગરના દરેડ પાસે કેનાલ પર ૩૦૦ જેટલા પરિવારોના સાર્વજનિક ઉપયોગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા બોક્સને અર્થાત નાનકડા પુલિયાનું ખુદ બિલ્ડરે જાતે જ બાંધકામ દૂર કર્યું છે અને મ્યુ. કમિશનરના આદેશનું પાલન કર્યું છે. અત્રે નોંધનીય છે કે આ જે બોક્સ બનાવવામાં આવ્યું હતું તે કેનાલ પર બનેલા અત્યાર સુધીના તમામ નાના પુલમાં સૌથી મજબૂત હતું પરંતુ વિવાદ થવાના કારણે ના છૂટકે બાંધકામ દૂર કરવાની ફરજ પડી છે જેની અસર અન્ય ૩૦૦ પરિવારો ઉપર પણ પડશે એવું દેખાય છે.

દરેડ પાસે કેનાલ પર અરજદાર ગાગીયા એન્ડ સન્સ દ્વારા પોતાના ઉપયોગ તથા લોકોની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને બોક્સ બનાવવામાં આવ્યું હતું, આ બોક્સ ત્રણ ફૂટની જાડાઈનું હતું જેથી કરીને વરસાદમાં કે અન્ય કોઈ સમયે અકસ્માત નો કોઈ ખતરો રહે નહીં. ઇન્દિરા રોડ પર જે તે વખતે એક દુર્ઘટના સર્જાઇ હતી અને નબળા બોક્સના કારણે નિર્દોષ લોકો કેનાલમાં ખાબક્યા હતા કેનાલ પરના પતરા થી બનેલા બોક્સ પર ઉભા હતા ત્યારે એ દુર્ઘટના થઈ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/