વિશ્વમહિલા દિને ત્રિવેણી કાર્યક્રમમાં નારીચેતનાનો ઉલ્લાસ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-08-at-9.20.36-PM-960x620.jpeg)
વિશ્વમહિલા દિને ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ત્રિવેણી કાર્યક્રમ અમદાવાદ મેડિકલ હોલ ખાતે યોજાયો હતો. જેમાં કાવ્યપાઠ, કાવ્યગાન અને નૃત્યની પ્રસ્તુતિ થઇ હતી. અતિથિવિશેષ તરીકે પધારેલા સુપ્રસિદ્ધ કવિશ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું કે ‘સ્રીસશક્તિકરણ સાથે સ્ત્રીપ્રશસ્તિકરણ પણ થવું જોઈએ. નારીઓને બિરદાવીશું નહીં ત્યાં સુધી સમાજની ગતિ-પ્રગતિ શક્ય નથી.’
વિશ્વ પ્રસિદ્ધ નૃત્યાંગના પૌલોમી પંડિતે ગુજરાતી ગીતો પર નૃત્યની પ્રસ્તુતિથી શ્રોતાઓના દિલને ડોલાવ્યા હતા. ઉષા ઉપાધ્યાય, લતા હિરાણી, રક્ષા શુક્લ અને પ્રજ્ઞા વશીએ નારીચેતનાને વ્યક્ત કરતા કાવ્યો રજૂ કર્યા હતા. જાણીતા ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથી કાવ્યગાન દ્વારા નારીસંવેદનાનો ઉલ્લાસ કર્યો હતો. સંગીત હેતલ જીગ્નેશ રાવ અને સંચાલન ડૉ. મિતલ રાજગોરે કર્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ શુભકામના પાઠવી હતી. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments