fbpx
ગુજરાત

ખૂંખાર ગેંગસ્ટર અતીકને લેવા યુપી પોલીસ ફરી પહોંચી સાબરમતી જેલ

ઉત્તરપ્રદેશના ખૂંખાર ગેંગસ્ટર અતીક અહેમદને લેવા ઉતરપ્રદેશ પોલીસ ફરીથી સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી છે. અતીક અહેમદને બાય રોડ પ્રયાગરાજ લઈ જવાશે. આ માટે સાબરમતી જેલની બહાર પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. ગેંગસ્ટર અતિક અહેમદ પર ખંડણી અને હત્યા સહિત ના અનેક ગુનાઓ નોંધાયેલા છે. અતિક અહેમદને અમદાવાદની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે તેને સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની સ્ઁસ્ન્છ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા સંભળાવી. જાે કે આ કેસમાં ૭ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સજા બાદ સાબરમતી જેલમાં અતીકને ફરીથી લાવવામાં આવ્યો હતો. સજા ફટકારતા જેલમાં અતીકની જગ્યા પણ બદલવામાં આવી હતી. અતીક અહેમદમને હાઇસિક્યુરિટી ઝોનની બેરેક નંબર ૨૦૦માં ખસેડવામાં આવ્યો હતો. આજે ઉમેશ પાલ હત્યા કેસમાં ફરી અતીકને લેવા યુપી પોલીસ અમદાવાદ પહોંચી છે.

કોણ છે અતિક અહેમદ?.. વર્ષ ૨૦૧૯ માં માફીયામાંથી નેતા બનેલ યુપીના કુખ્યાત અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. તેને ગુજરાતની જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આવ્યો હતો. તેને યુપીમાં કડક સુરક્ષા વચ્ચે સવારે એમ્બ્યુલન્સ દ્વારા વારાણસીના લાલબહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. તેને જ્યારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો ત્યારે તેની સુરક્ષા માટે ડેપ્યુટી જેલર, સીઓ તેમજ બે વાહનોથી ખીચોખીચ પોલીસ હતી. તેને સ્પાઈસજેટના વિમાન એસજી-૯૭૨ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યારથી અમદાવાદની સાબરમતી જેલ અતીકનું નવુ સરનામુ બની હતી. ઉલ્લેખનીય છે કે, અપહરણ, ઉચાપત, ધમકી આપવાના અનેક કેસોમાં બંધ અતીક અહેમદને વીઆઈપી સુરક્ષા મળતી રહી હતી. તો દેવરિયા જેલમાં પણ તેનો જલવો કાયમ રહ્યો હતો. અતીક અહેમદનો ગુનાહીત ઈતિહાસ વિષે જાણો?…

અતીક અહેમદનો ગુનાહીત ઈતિહાસ બહુ મોટો છે. અતીક અહેમદની ગુનાહીત કુંડળી પર નજર કરીએ તો, અતીક અહેમદનો જન્મ ૧૦ ઓગસ્ટ ૧૯૬૨ના રોજ થયો. અતીક મૂળ યુપીના દેવરિયાનો રહેવાસી છે. ગુનાહીત પ્રવૃત્તિમાંથી રાજકારણમાં આવેલો અતીક અહેમદ યુપીની ફૂલપુર બેઠક પરથી સાંસદ રહી ચુક્યો છે. ૧૭ વર્ષની ઉંમરે ૧૯૭૯માં અલ્હાબાદમાં અતીક સામે પ્રથમ હત્યાનો ગુનો નોંધાયો હતો. અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ પર ૧૫૦ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. અતિક સામે યુપી સહિત અન્ય રાજ્યોમાં ગંભીર ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. પૂર્વાંચલ અને અલ્હાબાદમાં સરકારી કોન્ટ્રેક્ટ, ખનન અને વસૂલીના અનેક મામલામાં તેનું નામ આવ્યું હતું. અતીક અહમદ સામે ઉત્તર પ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલ્હાબાદ સાથે બિહાર રાજ્યમાં પણ હત્યા, અપહરણ, વસૂલી વગેરે મામલા દાખલ છે. અતીકની સામે સૌથી વધુ મામલા અલ્હાબાદ જિલ્લામાં દાખલ થયેલા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/