વિપક્ષના નેતા બદલવાની અટકળો પર અમિત ચાવડાએ પૂર્ણવિરામ મુક્યો
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/06/Page-30-1140x620.jpg)
વિધાનસભાના વિપક્ષ નેતા બદલવાની ચર્ચા માત્ર અફવા હોવાનું સામે આવ્યુ છે. વિપક્ષના નેતા બદલવાની અટકળો પર અમિત ચાવડાએ પૂર્ણવિરામ મુક્યો છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ કહ્યું કે અટકળો માત્ર અટકળો જ હોય છે. કોઇ વિપક્ષ નેતા બદલવાની વાત નથી. સાથે જ કહ્યું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ટીમવર્કથી કામ કરશે. તો કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અંગે અમિત ચાવડાએ કહ્યું કે હાઈકમાન્ડે બહુ વિચારીને અનુભવી શક્તિસિંહ ગોહિલને જવાબદારી સોંપી છે.
Recent Comments