fbpx
ગુજરાત

અમેરિકામાં ઉપવાસ કરીને જૈન આચાર્ય લોકેશજીએ જૈન સમાજને સંતો અને તીર્થોની રક્ષા માટે એક થવા અપીલ કરી હતી

તાજેતરમાં કર્ણાટકનાં બેલગામમાં જૈન સંત કામકુમાર નંદી મહારાજની હત્યા કરી લાશને અનેક ભાગોમાં કાપીને ફેંકી દેવામાં આવી હતી, જેને આચાર્ય લોકેશજી સહિત સમગ્ર જૈન સમાજે સખત શબ્દોમાં નિંદા કરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ જૈન આચાર્ય લોકેશજીએ કર્ણાટકના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાથે વાત કરી અને આ મામલાને લગતા તમામ પાસાઓને આવરી લેતા સંપૂર્ણ તપાસની માંગ કરતો પત્ર લખ્યો. આચાર્ય લોકેશજીએ પોતાના પત્રમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને યોગ્ય સંજ્ઞાન લેવા, મામલાની તાત્કાલિક તપાસ કરાવવા અને હત્યારાઓને કડક સજા કરવાની માંગ કરી છે. આ સાથે આચાર્યશ્રીએ સંતો અને ધર્મગુરુઓની સુરક્ષા માટે અપીલ કરી હતી.

આચાર્ય લોકેશજીએ ભારતના તમામ ધર્મપ્રેમીઓ, જૈન સંપ્રદાય, સંતો અને સમાજને અમેરિકામાં ઉપવાસ કરીને સંતો, મહાત્માઓ અને તીર્થધામોની રક્ષા માટે સંગઠિત અને એક થવા અપીલ કરી હતી.

આચાર્ય લોકેશજીએ જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં જૈન મુનિની હત્યાની પ્રથમ કરુણ ઘટના હૃદયદ્રાવક છે, જૈન મુનિની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ક્રૂર વ્યક્તિને યોગ્ય સજા મળે અને સંતોની સુરક્ષા માટે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/