વડોદરાની સ્જી યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો
વડોદરાની સ્જી યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્જી યુનિવર્સિટીમાં લૉ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ફતેહગંજમાં આવેલા એક ફ્લેટમાં ગળેફાંસો ખાઈને વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક પ્રીતમ ચૌહાણ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતક ૧૦ દિવસ પહેલા જ ફતેહગંજમાં આવેલા એક ફ્લેટમાં ભાડે રહેવા આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીએ આપઘાત કરતાં સમગ્ર વિસ્તાર તેમજ સ્જી યુનિવર્સિટીમાં ચકચાર મચી છે. આપઘાતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments