fbpx
ગુજરાત

રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો૨૦૨૪ની મતગણનામાં ૧.૪૯ લાખથી વધુ નવા મતદારો

ભારતના ચૂંટણી પંચની સુચના અને મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ શરૂ થાય તે પૂર્વે તા.૨૧ જુલાઈથી રાજ્યભરમાં હાથ ધરવામાં આવેલા હાઉસ ટુ હાઉસ સરવેની કામગીરી પૂર જાેશમાં ચાલી રહી છે. જે અંતર્ગત મતદાર તરીકે નોંધણી કરાવવા ૧.૪૯ લાખથી વધુ ફોર્મ નં.૦૬ જ્યારે મતદારોની સરનામા સહિતની વિગતોમાં સુધારો કરાવવા ૨.૫૧ લાખથી વધુ ફોર્મ નં.૦૮ મેળવવામાં આવ્યા છે.
લોકતંત્રમાં નાગરિકોને મળેલો મતાધિકાર સૌથી મહત્વપૂર્ણ અને પાયાની બાબત છે ત્યારે પાત્રતા ધરાવતા તમામ મતદારોનું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ હોય તે આવશ્યક છે. બુથ લેવલ ઑફિસર્સ અને સુપરવાઈઝર્સ દ્વારા ક્ષતિરહિત મતદારયાદી તૈયાર થાય અને એક પણ મતદાર મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ શરૂ થાય તે પૂર્વે તા.૨૧ જુલાઈથી તા.૨૧ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવામાં આવ્યો છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર તરીકેની લાયકાતની તારીખમાં સુધારો કરવામાં આવતા હવેથી વર્ષમાં ચાર વાર મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની તક મળે છે ત્યારે હાઉસ ટુ હાઉસ સરવે દરમ્યાન મતદારયાદીમાં નામ નોંધણી માટેના રાજ્યભરમાં કુલ ૧.૪૯ લાખથી વધુ ફોર્મ નં.૦૬ મેળવવામાં આવ્યા છે. જેની ચકાસણી બાદ નિયમાનુસાર ચકાસણી બાદ નવા મતદારોનું નામ મતદારયાદીમાં ઉમેરવામાં આવશે.
ક્ષતિરહિત મતદારયાદી માટે સૌથી અગત્યની બાબત જેવી કે એક જ મતદારના એકથી વધુ મતવિસ્તારની મતદારયાદીમાં ચાલતા નામ, કાયમી સ્થળાંતર કે મૃત્યુના કિસ્સામાં મતદારયાદીમાંથી નામ કમી કરવા અંગે રાજ્યભરમાંથી કુલ ૩.૧૪ લાખ જેટલા ફોર્મ નં.૦૭ મેળવવામાં કે ભરવામાં આવ્યા છે.
જ્યારે સ્થળાંતરના કારણે સરનામું બદલવા, મતદારયાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારો કરાવવા, જૂનાને બદલે નવું મતદાર ઓળખપત્ર (ઈઁૈંઝ્ર) મેળવવા તથા દિવ્યાંગ મતદાર તરીકે નોંધણી કરાવવા રાજ્યભરમાંથી કુલ ૨.૫૧ લાખથી વધુ ફોર્મ નં.૦૮ મેળવવામાં આવ્યા છે.
ચૂંટણી તંત્રના સૌથી પાયાના કર્મયોગી એવા રાજ્યભરના તાલીમબદ્ધ બુથ લેવલ ઑફિસર્સ મતદારોના ઘરની મુલાકાત લઈ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તે માટે અસરકારક કામગીરી કરી રહ્યા છે.
ન્યાયી અને સુગમ ચૂંટણીઓ માટે મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા મ્ન્ર્ંની હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમ્યાન તેમને પૂરતો સહયોગ આપવા તથા પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાં નામ નોંધાવવા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા જાહેર અપીલ પણ કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/