નવસારીમાં અંબિકા નદી પરનાં પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/File-02-Page-08-7-1140x620.jpg)
નવસારીમાં અંબિકા નદી પરના બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ મુકાયો છે. બીલીમોરા-અમલસાડ ગામને જાેડતા બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર કલેકટરે પ્રતિબંધ ફરમાવ્યો છે. ૪૫ વર્ષ જૂના આ બ્રિજના માળખાના રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રિજ નબળો થયો હોવાથી હાલ ભારે વાહનની અવર-જવર સુરક્ષિત નથી. આ બ્રિજ શહેર અને ગ્રામ્ય વિસ્તારને જાેડતી કડીરૂપ હતો. ત્યારે અહીં ભારે વાહનની અવર-જવર પર પ્રતિબંધ મુકાતા વાહનચાલકો ૨૨ કિમી વધુ અંતર કાપવા મજબૂર બન્યા છે. એક વર્ષ પહેલા બીલીમોરાને નેશનલ હાઈવે સાથે જાેડતો બ્રિજ બંધ થયો હતો, જેનું સમારકામ ન થતા આજે પણ બ્રિજ બંધ છે. એવામાં વધુ એક બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ મુકાતા ખેડૂતો, વેપારીઓને માલ-સામાનની હેરાફેરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. બ્રિજનું વહેલી તકે સમારકામ થાય તે માટે સ્થાનિકો માગણી કરી રહ્યા છે.
Recent Comments