અમદાવાદમાં ૮૦ હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગની નોટિસકર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કાર્યવાહી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/08/File-02-Page-09-9-700x620.jpg)
અમદાવાદમાં કર કપાત મુદ્દે શહેરના ૮૦ હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. કર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કરદાતાઓને નોટિસ અપાઇ છે. કરદાતાઓને ઇપીએફ, વીમાનું વ્યાજ, લોન હપ્તા, શિક્ષણ ફી તેમજ એફડીમાં કર કપાતના દાવા અંગે નોટિસ અપાઇ છે. ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય તે પહેલા કરદાતાઓએ ઓનલાઇન જ તેનો જવાબ આપવો પડશે. જાે કે ટેક્સ નિષ્ણાતો આ નોટિસને રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કરદાતાએ સબમિટ કરેલા રિટર્નમાં કોઇ વિસંગતતા જણાય તો કમ્પ્યુટરથી ઓટો સિસ્ટમ દ્વારા કરદાતાઓને આપોઆપ નોટિસ મળે છે. કરદાતાઓ માટે આ ચિંતાનો વિષય નથી. યોગ્ય જવાબ રજૂ કરતા જ નોટિસ રદ થઇ જશે.
Recent Comments