શાંતિકુંજ વડીલો ની છત્રછાયા માં દર રવિવારે ગરમાં ગરમ અલ્પહાર નો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પ્રારંભ
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/IMG-20230903-WA0013-1140x620.jpg)
સુરત ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વડીલો માટે આશીર્વાદ રૂપ સેવા નો પ્રારંભ અમરોલી કોસાડ વિસ્તાર ના ટીપી ૬૬ નુ યુવા ગ્રુપ અને મહાકાલ ટ્રસ્ટ ના સાથ સહકાર થી વડીલો માટે બનાવેલું શાંતિકુંજ વડીલોની છત્રછાયા માં એક નવી દિશા સાથે હવેથી દર રવિવારે સવારે ૮-૦૦ વાગ્યા થી ૧૦-૦૦ વાગ્યા સુધી ભગવદ્ ગીતા ટ્રસ્ટ દ્વારા અને મની પ્લસ નાં સૌજન્ય થી વડીલો માટે નાસ્તા નું સરસ આયોજન થયું છે જેનું આજ રોજ થી શુભ આરંભ થયો ખુબ સરસ કાર્ય છે, પહેલા જ રવિવારે આજુ બાજુ ના ૧૫૦ જેટલા વડીલો એ પ્રસાદી લીધી અને હર હંમેશ આવા કાર્ય થતાં રહે એવા આશીર્વાદ વડીલો દ્વારા મળ્યા,
Recent Comments