સુરતમાં દુર્લભ એવા ૬૦૦ કરોડના ગણપતિજી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/File-02-Page-13-12-1140x620.jpg)
ગણેશ ચતુર્થી નિમિતે આજે સમગ્ર દેશમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં કોરોના વરચે પણ અદભુત ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે સુરતના કનુભાઈ આસોદરિયા એ પોતાના ઘરમાં વિશ્વ ના દુર્લલ્ભ ડાયમંડ ગણેશજી તેમના ઘરે બિરાજમાન કર્યા છે. તેઓ વિદેશમાં જ્યારે રફ ડાયમંડ ની ખરીદી કરવા ગયા હતા ત્યારે આ દુર્લલ્ભ ડાયમંડ તેમને મળ્યો હતો. ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જાેવા માટે અમેરિકાના કમલા હેરિસ પણ ઈચ્છા જાહેર કરી છે. તેઓ પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે.
કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના કરી છે. આ રફ ડાયમંડની સ્થાપના દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટની કિંમત ૬૦૦ કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે. પરંતુ કનુભાઈ અસોદીયા ક્યારે પણ આ ગમે જેની કિંમત બતાવતા નથી કારણ કે તેઓની માટે આ બહુમૂલ્ય છે. ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે .જેનુ વજન “૧૮૨.૩ કેરેટ” છે અને “૩૬.૫ ગ્રામની” છે.તમને જણાવી દઇએ કે કોહિનૂર “૧૦૫ કેરેટ” નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા “૧૮૨ કેરેટ ૫૩ સેન્ટની” છે. જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે પોતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એ આ હીરાને વિશ્વના સૌથી યુનિક નો દરજ્જાે આપ્યો છે.
Recent Comments