fbpx
ગુજરાત

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જાેરશોરથી તૈયારીઓ શરૂડિજીટલ પેમેન્ટ કરશો એટલે હવે વેન્ડિંગ મશીનમાંથી મોહનથાળનો પ્રસાદ મળશે

દર વર્ષની જેમ આ વર્ષે પણ બનાસકાંઠાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ જાેરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. અંબાજીમાં ૨૩મીથી ભાદરવી પૂનમા મહામેળોનો પ્રારંભ થવાનો છે. ત્યારે અંબાજીમાં સૌ પ્રથમવાર આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને પહેલા આપવામાં ના આવી હોય તેવી સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. સામાન્ય રીતે કોઈ પણ મંદિરમાં પ્રસાદનું એક આગવુ મહત્વ હોય છે.

ત્યા અંબાજી મંદિરના પ્રસાદની માંગને ધ્યાનમાં રાખીને કે જેનાથી કોઈ પણ માઈ ભક્ત પ્રસાદ વિહોણુ ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરની બહાર કેટલાક પ્રસાદ વેન્ડિંગ મશીનો સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં રૂ ૩૦માં તમને મોહનથાળની પ્રસાદ મળશે. તમામ માઈ ભક્તો મંદિર પરિસરની બહાર ડિજિટલ પેમેન્ટ દ્વારા પ્રસાદ વેન્ડિંગ મશીનોથી સીધા જ પ્રસાદ ખરીદી શકશે. ભક્તોને મંદિરની વ્યવસ્થાની તેમજ અન્ય કેટલીક પ્રાથમિક માહિતી સાથે મા અંબાનો નાનો ફોટો આપવામાં આવશે. તો આવર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જીમ્ૈં ની મદદથી અંબાજીમાં ૨ મુખ્ય સ્થળોએ પ્લાસ્ટિક ક્રશર મશીનો મુકવામાં આવશે.

આ મશીનમાં કોઈપણ પ્લાસ્ટિકનો કચરો ડમ્પ કરી શકાય છે. પ્લાસ્ટિકને રિસાયકલ કરીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળામાં દિવ્યાંગ, વડીલો અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ માટે અલગ સુવિધા કરવામાં આવી છે. આવતી કાલથી એટલે કે ૨૩ થી ૨૭ સપ્ટેમ્બર સુધી યોજાનાર મહા મેળા દરમિયાન ભક્તો રીક્ષામાં મફતમાં મુસાફરી કરી શકશે. કામાક્ષીથી ખોડિવલી સર્કલ સુધી અને દાતાના શક્તિ દ્વારથી ખોડિવલી સર્કલ સુધી મફત રીક્ષામાં લાવવા અને લઈ જવામાં આવશે. તો અંબાજીના ૧૫૦ જેટલા રીક્ષા ચાલકોને એક ડ્રેસ કોડ આપવામાં આવશે અને રોજી રોટી માટે ૮ કલાકના એક હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મહા મેળામાં અંબાજીમાં વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવે છે.

એટલે રીક્ષા ચાલકોને બેકાર બેસી રહેવું પડતુ હોય છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેને રિક્ષા એસોસિએશને પણ વધાવ્યો છે. અને તેમને રોજગાર પ્રાપ્ત થશે. તો બીજી તરફ અંબાજીના મુખ્ય બજારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. જેમાં લારી, ગલ્લા, પાટવાળાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લગભગ ૧૫૦ જેટલા દબાણ દૂર કરાયા હતા. યાત્રિકોને અવર જવર માટે કોઈ તકલીફ ન પડે તે માટે કામગીરી કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/