અમદાવાદમાં રહેતી રશિયન મહિલાને સુરક્ષાનો ડરઅસામાજિક તત્વોના આતંકથી હેરાન મહિલાએ પીએમઓમાં ફરિયાદ કરીને સુરક્ષા માંગી
![](https://citywatchnews.com/wp-content/uploads/2023/09/File-02-Page-11-9-1140x620.jpg)
ભારત એક એવો દેશ છે જ્યાં અતિથી દેવો ભવનો મંત્ર માનવામાં આવે છે. અતિથી આપણા દેશમાં આવે તો આપણે તેમને માન આપ્યે, સન્માન આપીએ છે. પરંતુ, અમદાવાદમાં રહેતી એક રશિયન મહિલા સાથે એવી ઘટના બની કે તેણે પ્રધાનમંત્રી કાર્યલયમાંથી સુરક્ષાની માગ કરવી પડી છે. અમદાવાદમાં એક રશિયન મહિલા તેના ભારતીય પતિ સાથે રહે છે. આલા એફનસોવા અને સંતોષ નિહાલા બંને અમદાવાદના સરદારનગરમાં આવેલા કર્ણાવતી સુંદરવન રેસિડેન્સીમાં ૨૦૧૯થી રહે છે. બંને પતિ-પત્નીને હાલમાં પોતાની સુરક્ષા અંગે ચિંતા છે.
જેનું કારણ છે વિસ્તારના અસામાજીક તત્વો ૨૦૧૯માં સુરજ ક્રિષ્ણાની ઉર્ફે બાબા સિંધીએ તેના સાગરિતો સાથે મળીને નરેશ શર્મા નામના વેપારીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ હતી. વેપારી નરેશ શર્માએ બાબા સિંધી અને તેના ગુંડાઓ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી ફરિયાદથી બચવા માટે બાબા સિંધીએ ઝ્રઝ્ર્ફ ડિલીટ કરવા માટે સંતોષ નિહાલાને કહ્યું હતું. જાેકે સંતોષ નિહાલા ઈન્કાર કરી દેતા બાબા સિંધી ઉશ્કેરાયો અને હવે તે આલા એફનસોવા અને સંતોષ નિહાલા બંનેને ધાક ધમકી આપે છે.
મહત્વનું છે કે વર્ષ ૨૦૧૯થી અત્યારસુધીમાં બાબા સિંધી અને તેના સાગરિતો ૩ વખત બંનેના ઘર સુધી આવી પહોંચ્યા છે. જેથી કંટાળીને આ દંપતિ હવે સુરક્ષા આપવા માટે સરકારને વિનંતી કરી રહી છે. અસામાજિક તત્વ સુરજ ક્રિષ્ણાની ઉર્ફે બાબા સિંધી પર માત્ર સરદારનગર પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં ૧૦ ગુના નોંધાઈ ચુક્યા છે. ત્યારે આ દંપતી હાલ એ જ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે કે આ અસામાજિક તત્વ તરફથી કોઈ હેરાનગતિ ના થાય અને પોલીસ સુરજ ક્રિષ્ણાની ઉર્ફે બાબા સિંધી પર કોઈ કાર્યવાહી કરે.
Recent Comments