fbpx
ગુજરાત

એસટી નિગમ ની બસોમાં હવે UPI ની સુવિધા મળશે

હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર એસટી ડેપોમાં ૪૦ નવી બસોનું લોકાર્પણ

ગુજરાતના લોકોને સરળ પ્રવાસ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. આજે એસટીની નવી ૪૦ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી બસોનું લોકાર્પણ કર્યું છે. સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટથી ચૂકવણીની શરૂઆત કરાઈ છે. હવેથી એસટીમાં મુસાફરી કરવા માટે રોકડાની ઝંઝટ નહીં રહે. ેંઁૈં થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થયો છે. હવે બસમા બેસ્યા પછી તમારા ખિસ્સામાં રોકડા રૂપિયા નથી તો ટેન્શન ન લેશો. હવે મુસાફરો બસમાં બેસીને સ્વાઈપ કરીને ટિકિટ લઈ શકશે. કારણ કે જી્‌ બસમાં ડિજિટલ પેમેન્ટ થઈ શકશે. હવે મુસાફરો અને કંડક્ટરોને મોટી રાહત મળશે. રાજ્યમાં એસટી નિગમ હવે કેશલેશ થવા એક ડગલું આગળ વધ્યું છે. રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર એસટી ડેપોમાં ૪૦ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત એસટીમાં ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણીનો પ્રારંભ છે. છેલ્લા કેટલાક સમયથી એસજી બસને ડિજીટલ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. ત્યારે આખરે એસટીમાં ડિજીટલ પેમેન્ટનો વિધિવત પ્રારંભ કરાયો છે. હવેથી ર્ઁંજી મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરો ટિકિટ લઈ શકશે. ર્ઁંજી મશીનમાં ઊઇ કોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પ્રવાસી બસનું ભાડું ચૂકવી શકશે.

જાેકે, બસ મુસાફરો ડિજિટલ પેમેન્ટની સાથે રોકડા રૂપિયા આપીને પણ ટિકિટ ખરીદી શકશે. એસટી નિગમને આજે વધુ ૪૦ બસ મળી છે, જેથી દિવાળી ટાંણે જ મુસાફરોની સુવિધામાં વધારો થશે. એસટી નિગમ દ્વારા ૨×૨ બસ બનવવામાં આવી છે. ૪૦ બસ પૈકી અમદાવાદને ૧૫ અને મહેસાણાને ૭ બસ ફાળવાઇ છે. તેમજ વરોડાને ૧૦, ગોધરાને ૬ અને ભરૂચ ડેપોને ૨ બસ ફાળવવામાં આવી છે. વાહન વ્યવહાર વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે. ગુજરાતના મધ્યન વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં બીજી નવી ૨ હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમ ની બસોમાં હવે ેંઁૈં ની સુવિધા મળશે. એસટી બસોમાં નવા ૨ હજાર ેંઁૈં મશીન આપવામાં આવ્યા છે. હવે સીધું ઓનલાઈન ેંઁૈં ના માધ્યમ થી પેમેન્ટ થઈ શકશે. સાથે જ રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/